આગ્રાના શાહગંજ વિસ્તારના ભોગીપુરામાં સોમવારે સવારે વાલ્મિકી વસ્તીમાં ગેસ સિલિન્ડર ફાટવાથી એક જ પરિવારના આઠ લોકો ભડથુ થયા. આ દુર્ઘટના સવારે અંદાજે સવા આઠ વાગે ઘટી. વાલ્મીકિ વસ્તીમાં રહેતા વિનોદના ઘરમાં અચાનક સિલિન્ડરમાં આગ લાગી હતી. ભીષણ આગથી પરિવારજનોએ ચીસાચીસ કરી હતી.
આગ્રાના શાહગંજ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટ્યુ
એક જ પરિવારના આઠ લોકો થયા ભડથુ
ભીષણ આગથી પરિવારજનોએ કરી હતી ચિસાચિસ
આગમાં 8 લોકો ભડથુ
આ દરમ્યાન વિનોદ, તેની પત્ની કમલેશ, દીકરો, ભત્રીજી સહિત આઠ લોકો આગમાં ભડથુ થયા. શેરીના લોકોએ સૌને બહાર કાઢ્યા. સૂચનાને પગલે ઘટનાસ્થળે પોલીસ પહોંચી. ગેસ સિલિન્ડર ફાટવાથી ઘર પણ ક્ષતિગ્રસ્ત થયુ છે, જેનાથી આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો છે. પોલીસે ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવ્યો.
અત્યારે દરેક લોકોની સ્થિતિ સારી
આગમાં ભડથુ થયેલા લોકોને એસએન મેડિકલ કોલેજની ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરનું કહેવુ છે કે અત્યારે બધાની સ્થિતિ સારી છે. દુર્ઘટના સિલિન્ડરમાં આગ લાગવાથી ઘટી છે. જેનુ કારણ લીકેજ પણ હોઇ શકે છે. જો કે, અત્યારે તપાસ કરાઈ રહી છે.