ખુશીઓ અને આપસમાં ભાઈચારાનો તહેવાર ઈદ-ઉલ-ફિતર આજે દેશ ભરમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવી રહ્યો છે. નમાજ માટે મસ્જિદોને શણગારવામાં આવી છે. મુસ્લિમ સમુદાયના લોકો વિભિન્ન મસ્જિદો અને ઈદગાહોમાં પહોંચી નમાજ અદા કરી રહ્યા છે. જણાવી દઈએ કે ઈદ પહેલા શુક્રવારે મનાવવાની હતી પરંતુ શુક્રવારે ચાંદના દર્શન નહિ થવાના કારણે શનિવારે તેની ઉજવવામાં આવી રહી છે. રાજધાની દિલ્હી સમેત દેશભરની મસ્જિદોમાં નમાજ અદા કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ પ્રશાશન બંદોબસ્તમાં છે.
આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દેશવાસીઓને ઈદ-ઉલ-ફિતરની શુભેચ્છાઓ પાઠવી છે. pmએ ટ્વિટ કરીને લખ્યુ કે આ દિવસ સમાજમાં એકતા અને શાંતિ લઈને આવે. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ લોકોને ઈદ-ઉલ-ફિતરની શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ તેમણે સમાજમાં ભાઈચારો અને આપસમાં સહનશીલતા વધવાની શુભેચ્છા પાઠવી છે.
રાજધાની દિલ્હી સ્થિત જામા મસ્જિદમાં ઈદ-ઉલ-ફિતરના અવસરે નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
ઈદના અવસરે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ રાજધાની ભોપાલના ઈદગાહ પર પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ નમાજ અદા કરી હતી.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ વિજયવાડાના ગાંધી નગરપાલિકા સ્ટેડિયમની નમાજમાં શામેલ થયા હતા.