રાજ્યમાં 19 ઓક્ટોબરે ઈદ-એ-મિલાદની ઉજવણીમાં સરકારે ચોક્કસ માર્ગ દર્શિકા જાહેર કરી છે.ઉજવણીમાં એક જ વાહન અને 15 વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે. જૂલુસ એક દિવસ પૂરતું જ મર્યાદિત
ઈદ -એ- મિલાદ માટે સરકારી નીતિ-નિયમો
ગાઈડ લાઈનનું કરવું પડશે સંપૂર્ણ પાલન
જૂલુસમાં 15 વ્યક્તિ અને એક જ વાહનને મંજૂરી
રાજ્યમાં 19 ઓક્ટોબરે ઈદ-એ-મિલાદની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સરકારે ચોક્કસ માર્ગ દર્શિકા જાહેર કરી છે. ઈદ-એ- મિલાદની ઉજવણીમાં એક જ વાહન અને 15 વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે સરકારની માર્ગ દર્શિકા પ્રમાણે જૂલુસ માત્ર એક દિવસ પોર્ટુ જ મર્યાદિત રહેશે.ઈદ-એ-મિલાદનું જુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે અને શક્ય એટલાંઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. ઈદ-એ- મિલાદના જૂલુસ દરમિયાન કોરોનાની કેન્દ્ર/રાજ્ય સરકારે સુચવેલી તમામ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.
રાત્રિ કર્ફ્યું છે 10 નવેમ્બર સુધી
રાજ્ય સરકારે એક સપ્તાહ પૂર્વે,રાત્રિ કર્ફ્યું અંગે સમય મર્યાદામાં વધારો કર્યો હતો. સરકારે 10 નવેમ્બર સુધી અમદાવાદ સહીત, રાજકોટ, સુરત, જૂનાગઢ, જામનગર, વડોદરા,ભાવનગર,અને ગાંધીનગર જેવા શહેરોમાં રાત્રિ કર્ફ્યું સમય મર્યાદા રાત્રે 12 થી સવારે 6 સુધી લાગૂ કરી છે. આ શહેરોના નાગરીકો દીપાવલીના દિવસો દરમિયાન પણ રાત્રિનાં 12 પછી હરી કે ફરી શકશે નહિ. રાજકોટમાં તો આતશબાજી પણ નહિ કરવા મહાપાલિકાએ નિર્ણય કર્યો છે.
ગરબામાં મર્યાદિત સંખ્યા -કોમર્શિયલ આયોજન નહિ
રાજ્ય સરકારને ગરબા આયોજિત કરવાની મંજૂરી માગતી ગણી રજૂઆતો આવી હતી. પરંતુ,સરકારે માત્ર શેરી ગરબા અને સોસાયટીને જ મંજૂરી આપી હતી. જેમાં 400 સદસ્યોની સંખ્યા મર્યાદિત કરી હતી. વ્યાવસાયિક રીતે પાર્ટી પ્લોટ અને મેદાનોમાં આયોજિત થતા ગરબાને મંજૂરી અપાઈ નહોતી. આમ, સરકારની ગાઈડ લાઈન મુજબ જ નવરાત્રી રંગે-ચંગે પૂર્ણ થઇ છે. નાગરિકો પણ બે વર્ષના કોરોના કાળ પછી ગરબે ઘૂમવા મળતા આનંદિત થયા હતા.