કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા પર્યાવર પ્રભાવ આંકલન (EIA) 2020 ડ્રાફ્ટની ચોતરફથી ટીકા કરવામાં આવી રહી છે. વિપક્ષ પાર્ટીઓને લઇને પર્યાવરણનો મુદ્દો ઉઠાવનાર સામાજીક કાર્યકર્તા પણ તેનો વિરોધ કરી રહ્યાં છે. હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ આ મુદ્દા પર એક લેખ લખ્યો છે, જેમાં સોનિયા ગાંધીએ મોદી સરકારની આ નીતિની કડક શબ્દોમાં ટીકા કરી છે.
એક અંગ્રેજી ન્યૂઝ પેપરમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે ' જો તમે પ્રકૃત્તિની રક્ષા કરશો, તો તે તમારી રક્ષા કરશે. હાલમં જ દુનિયામાં જે કોરોના વાયરસ મહામારીનું સંકટ ઉભુ થયુ છે, તે મનુષ્યોને નવી સલાહ આપે છે. એવામાં આપણી ફરજ છે કે આપણે પર્યાવરણની રક્ષા કરવી જોઇએ.
સોનિયા ગાંધીએ લખ્યું આપણા દેશે વિકાસની હરણફાળ માટે પર્યાવરણની બલિ ચડાવી દીધી, પરંતુ તેને પણ એક સીમા નક્કી હોવી જોઇએ. છેલ્લા 6 વર્ષમાં આ સરકારનો રેકોર્ડ એવો રહ્યો છે જેમાં પર્યાવરણની રક્ષાને લઇને કોઇ વિચાર કર્યો નથી, આજે દુનિયામાં આ મુદ્દા પર આપણે ઘણા પાછળ છીએ. મહામારીના કારણે સરકારે વિચાર કરવો જોઇતો હતો, પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ નિશાન તાકતા કહ્યું કે આ પહેલા કોલસાની ખાણનો મામલો હોય કે હવે EIA નું નોટિફિકેશન, કોઇપણની સલાહ લેવામાં આવી રહી નથી. ગુજરાતના મુખ્યમંત્રીથી લઇને અત્યાર સુધી નરેન્દ્ર મોદીનો ટ્રેક રેકોર્ડ પર્યાવરણને લઇને ખરાબ રહ્યો છે, અત્યારે પણ સરકાર ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના નામ પર નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.
પર્યાવરણના સિવાય સોનિયા ગાંધીએ આદિવાસીઓના મુદ્દા પર કેન્દ્ર સરકારને આડેહાથ લીધી. કોંગ્રેસ અધ્યક્ષાએ લખ્યું કે UPAએ જે એક્ટને પાસ કર્યો હતો તેને હાલની સરકારે બદલી નાંખ્યો. ઇંદિરા ગાંધી લાંબા સમય સુધી જંગલ બચાવાનો મુદ્દો ઉઠાવતી રહી, કોંગ્રેસ તેના પર જ આગળ વધી રહી છે.
સોનિયા ગાંધીએ લખ્યું કે કેન્દ્ર સરકારે રિફોર્મના નામ પર માત્ર અમીર ઉદ્યોગપતિઓનો ફાયદો કર્યો છે, પરંતુ હવે સમય છે કે જ્યારે આપણે પબ્લિક આરોગ્યમાં રોકાણ કરવું જોઇએ. સોનિયા ગાંધીએ માંગ કરી કે નાના વેપારીઓને સબસિડી આપવી જોઇએ. નવી પર્યાવરણ નીતિ લાવવાનો કોઇ વિરોધ કરી રહ્યું નથી પરંતુ તેને વૈજ્ઞાનિક ઢબે, લોકો અને નિષ્ણાંતો સાથે વાત કરીને લાવવી જોઇએ.