વિદેશનો પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
ભારતથી ફરી ઉડશે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
ઉડ્ડયન મંત્રાલયે હટાવ્યા પ્રતિબંધો
વર્ષના અંતમાં ફ્લાઈટ્સ રૂટિન સામાન્ય થશે
કોરોના કાળમાં સસ્પેન્ડ થયેલી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી એકવાર વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સની અવર જવર પર રોક લગાવવામાં આવી હતી.
આ પ્રતિબંધને 30 નવે.2021 સુધી વધારાયુ હતુ. જોકે હવે દેશમાં કોરોના કાબૂમાં આવતા લાંબા સમયથી બંધ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ સંપૂર્ણ ક્ષમતા અને પ્રતિબંધો વગર ઉડાન ભરી શકશે.
We are making all efforts to handover all operations of Air India by the end of December: Rajiv Bansal, Secretary, Ministry of Civil Aviation
હાલમાં ભારતે US, UK, UAE, કેન્યા, ભૂતાન અને ફ્રાન્સ સહિત લગભગ 28 દેશો સાથે એર-બબલ કરારો કર્યા છે. એર બબલ કરાર હેઠળ, બે દેશો વચ્ચે તેમની એરલાઇન્સ વતી વિશેષ પ્રતિબંધો સાથે વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરી શકાય છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
એક વાર ફરી નવા કેસ 10 હજારની નીચે આવ્યા. ગત 24 કલાકમાં એક તરફ કુલ 9,283 નવા કેસ મળ્યા છે. તો બીજી તરફ 10949 લોકો સાજા થયા છે. આનાથી એક્ટિવ કેસની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે આ આંકડા માત્ર 1,11, 481 જ રહી ગયા છે. આ આંકડા ગત 537 દિવસો એટલે કે લગભગ દોઢ વર્ષમાં સૌથી ઓછા છે. ત્યારે રિકવરી રેટ પણ વધતા 98.33 ટકા પર પહોંચી ગયો છે. જે ગત વર્ષ માર્ચ બાદ સૌથી ઉંચા સ્તરે છે. આ દરમિયાન કોરોનાની રસીમાં તેજી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં 1118 કરોડથી વધારે કોરોનાની રસી લાગી ચૂકી છે અને જલ્દી આ આંકડો 120 કરોડને પાર પહોંચવાની આશા છે.
કદાચ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે- રણદીપ ગુલેરિયા
આ દરમિયાન એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે કદાચ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે. તેમણે કહ્યું કે આ વાતની આશંકા બહું ઓછી છે કે દેશમાં પહેલી અને બીજી લહેરની જેમ ત્રીજી લહેર આવશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે જે રીતે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે રસીથી લોકોની રક્ષા થઈ રહી છે અને હાલમાં કોરોનાના બૂસ્ટર ડોઝની જરુર નથી. ICMRના ડિરેક્ટર ડો. બલરામ ભાર્ગવની પુસ્તક ‘ગોઈંગ વાયરલ : મેકિંગ ઓફ કોવૈક્સિન- ધ ઈનસાઈડ સ્ટોરી’ના લોન્ચિંગના પ્રસંગે તેમણે આ વાત કહી.
સમય જતાં આ મહામારી બિમારીમાં ફેરવાઈ જશે- રણદીપ ગુલેરિયા
ડો. ગુલેરિયાએ કહ્યું કે જે રીતે રસીની અસરના ચાલતા સંક્રમણની સ્પીડ અટકી અને હોસ્પિટલોનું ભારણ ઓછું થયું છે. તેનાથી દર રોજ ત્રીજી લહેર આવવાનો ડર ઓછો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જો એવું થાય તો પણ કદાય પહેલી કે બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય. તેમણે કહ્યું કે સમય જતાં આ મહામારી બિમારીમાં ફેરવાઈ જશે. પરંતું તેની ઘાતકતા ઓછી થઈ જશે. બૂસ્ટર ડોઝના સવાલ પર તેમણે કહ્યું કે હાલમાં જે રીતે કેસમાં ઘટાડો આવી રહ્યો છે. તેનાથી એવું નથી લાગતું કે દેશમાં કોરોનાની રસીના બૂસ્ટર ડોઝ અથવા ત્રીજા ડોઝની જરુર છે.