બોટાદમાં હિન્દુ-મુસ્લિમ તમામ સમાજમાં કોમી એખલાસથી રહે છે પરંતુ કેટલાક હિતશત્રુઓ દ્વારા આ શાંતીને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ગામના લોકોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. ધાર્મિક લાગણી દુભવીને કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશિશ કરનાર શખ્સ સામે કડક કાર્વાહી કરવા ફરિયાદ કરાઈ છે.
અસમાજીક તત્વ દ્વારા ઇંડા ફોડવામા આવ્યા
શિવેસના અને હિન્દુ સમાજના લોકોમાં રોષ
પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ
બોટાદના રાણપુર શહેરમાં જુનુ અને જાણીતુ હનુમાનજીનું મંદિર છે. આ હનુમાનજીનું મંદિર હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. આ મંદિરમાં કોઈએ ઈંડા ફેકી આસ્થાને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી છે.
અસમાજીક તત્વોનું કામ
અસમાજીક તત્વ દ્વારા મંદીરના પરીસરમાં ઇંડા ફોડવામા આવ્યા હતા. બોટાદ રાણપુર શહેરમાં હનુમાનજીના મંદીરના કેટલાક લોકોએ ઇંડા ફોડીને શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે શિવસેના અને વિશ્વ હિન્દુ પરિષદે રોષ વ્યક્ત કર્યો છે અને ઘટનાની નિંદા કરી છે.
પોલીસે તપાસ હાથ ધરી
અસમાજીક તત્વ દ્વારા ઇંડા ફોડવામા આવ્યા હાતે જેને પગલે ગ્રામજનોએ પોલીસ ફરિયાદ કરી છે. અને પોલીસે તપાસ હાથ ધરી છે. ગ્રામજનોએ અસમાજીક તત્વો સામે કડક પગલા લેવાની રજૂઆત કરી છે.