જામનગરમાં જાહેર રસ્તાઓ પર રાખવામાં આવતી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા કેટલાક કોર્પોરેટરો અને અન્ય લોકો દ્વારા રજુઆત કરાઈ. નાના ધંધાર્થીઓની રોજીનો ઉઠ્યો સવાલ.વિપક્ષનું આવેદન
ઈંડાની લારીનો વિવાદ;રોજી નાં છીનવાય તેવી રજૂઆત
જામનગર મહાપાલિકામાં વિપક્ષે આપ્યું આવેદન પત્ર
સવાલ ઉઠ્યો ;માત્ર ઈંડા-નોનવેજની લારીઓ જ શા માટે ?
રાજ્યના કેટલાક શહેરોની જેમ જામનગરમાં પણ જાહેર રસ્તાઓ પર રાખવામાં આવતી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા કેટલાક કોર્પોરેટરો અને અન્ય લોકો દ્વારા રજુઆત કરાઈ હતી..જેને લઈને જામનગરના મેયર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ સંસ્થાઓ પાસે આ બાબતે અભિપ્રાય માંગતા આજે વિપક્ષ મેયરની ચેમ્બરમાં પહોંચ્યું હતું અને નાના ધંધાર્થીઓની રોજી-રોટી ન છીનવાઈ તે માટે આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી
મેયરે માંગ્યા જન અભિપ્રાય;નિર્ણય બાદમાં
ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં જાહેરમાં ઈંડા-નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે જામનગરમાં પણ આ મુદ્દો ગરમાયો છે..જામનગરના મેયર બીનાબેન કોઠારીને મળેલી રજૂઆતને પગલે તેઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ સંસ્થાઓ પાસે આ બાબતે અભિપ્રાય માંગ્યો છે. જેને લઈને વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર કરી, નાના ધંધાર્થીઓની રોજી-રોટી ન છીનવાઈ તે માટે મેયરને આવેદન પત્ર આપી રજુઆત કરવમાં આવી હતી. વિપક્ષની રજુઆત છે કે, માત્ર ઈંડા-નોનવેજ ની લારીઓને જ કેમ દૂર કરવા વિચારણા કરવામાં આવી રહી છે..જ્યારે જાહેર માર્ગો પર રેકડીધારકોના દબાણો હોય, કોઈ ધર્મની લાગણી દુભાઈ તો તેમને તે સ્થળ પરથી દૂર કરવામાં આવે. પરંતુ નાના ધંધાર્થીઓને આપણે રોજગાર આપી ન શકતા હોઈએ તો તેના પાસેથી રોજગાર છીનવવું પણ ખોટું છે. જેને પગલે આ બાબતે યોગ્ય વિચાર વિમર્શ કરી લોકોના, ધંધાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અન્યથા વિપક્ષ દ્વારા ન છૂટકે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. બીજી બાજુ મેયર બીનાબેન કોઠારીએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઈંડા-નોનવેજની જાહેરમાં રાખવામાં આવતી લારીઓ મુદ્દે રજૂઆતો મળતા આ બાબતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ જામનગરની વિવિધ સંસ્થાઓ અને લોકો પાસે અભિપ્રાય મંગવામાં આવેલ છે. જેમાં વિચારણા કરી શહેરીજનોના હિત માં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.