કેન્દ્રીય પરિવહન મંત્રીએ ઈથનોલના ઉપયોગને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત
બાંધકામ અને ખેતીના સાધનોમાં ઈથનોલ દાખલ કરવાની યોજના
ઈથનોલ જેવા વૈકલ્પિક ઈંધણના ઉપયોગની જરુર
ભારતમાં આગામી સમયમાં પેટ્રોલમાં ઈથનોલ ભેળવવાની સરકારની યોજના છે અને હવે ખેતી અને બાંધકામમાં વપરાતા સાધનોમાં પણ ઈથનોલનો ઉપયોગ કરવાની સરકારની યોજના છે અને આ દિશામાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે.
Alternative fuel like ethanol & methanol as well as electric is the future. I remember, 3 years ago when I used to talk about e-vehicles, people use to question me. But see now, there is a lot of demand for e-vehicles. People are in waiting: Union Minister Nitin Gadkari, in Pune pic.twitter.com/91RHjtRidW
3 વર્ષ પહેલા ઈલેક્ટ્રીક વાહનોની મારી વાત લોકો હસી કાઢતા, આજે જુઓ-ગડકરી
ગડકરીએ કહ્યું કે ઈથનોલ અને મીથનોલ જેવા વૈકલ્પિક ઈંધણો અને ઈલેક્ટ્રીક વાહનો ભવિષ્ય છે. મને યાદ છે કે 3 વર્ષ પહેલા જ્યારે હું ઈ વ્હીકલ્સની વાતો કરતો ત્યારે લોકો તેની પર શંકા ઉઠાવતા હતા પરંતુ આજે તમે જોઈ શકો છો. ઈલેક્ટ્રીક વાહનોની માગ વધી રહી છે. લોકો તેની પ્રતિક્ષા કરી રહ્યાં છે.
We'll speak to Bajaj to start scooter-auto in Pune on 100% ethanol. Let's start from here. it will also reduce pollution: Union Minister Nitin Gadkari (2/2) pic.twitter.com/k1AWJQIHPz
બાંધકામ અને ખેતીના સાધનોમાં પણ ઈથનોલ દાખલ કરવાની સરકારની યોજના
શનિવારે ઈથનોલ જેવા વૈકલ્પિક ઈંધણની જરુરિયાત પર ભાર મૂકતા કહ્યું કે બાંધકામ અને ખેતીના સાધનોમાં પણ ઈથનોલ દાખલ કરવાની સરકારની યોજના છે. ગડકરીએ કહ્યું કે ડીઝલ આધારિત ખેતીના સાધનો પેટ્રોલ આધારિત કરવા જોઈએ અને તેને ઈથનોલમાં કન્વર્ટ કરી શકાય. તેમણે કહ્યું કે બાંધકામ અને ખેતીના સાધનોમાં પણ ઈથનોલને દાખલ કરવાના પ્રયાસો ચાલુ છે.
ભારત દર વર્ષે 10 લાક કરોડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત કરે છે
તેમણે કહ્યું કે ઊર્જા અને પાવર સેક્ટરની જરુરિયાત પૂરી કરવા માટે ભારત દર વર્ષે 10 લાખ કરોડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત કરે છે અને આગામી પાંચ વર્ષમાં આ માગ વધીને 25 લાખ કરોડ થઈ શકે છે જેને કારણે ઈકોનોમી પર અસર પડશે.
ઈથનોલ પર ચાલતા સ્કૂટર્સ દાખલ કરીશું
ગડરીએ એવું કહ્યું કે પૂણેમાં 100 ટકા ઈથનોલ આધારિત સ્કૂટર શરુ કરવાનું અમે બજાજને જણાવીશું. અહીંથી ઈથનોલ પર ચાલતા સ્કૂટર્સની શરુઆત થવી જોઈએ. તેને કારણે પ્રદૂષણમાં ઘણો ઘટાડો આવશે.
ઈથનોલના 3 પંપ શરુ કરાવ્યાં પણ એક ટીપું ન વેચાયું
તેમણે કહ્યું કે બજાજ ટીવીએસ અને હીરો કંપની ફ્લેક્સ એન્જિન મોટરસાઈકલ અને ઓટો લાવી હતી. મેં પ્રધાનમંત્રી પાસે રજૂઆત કરી હતી અને પુણેમાં ઈન્ડીયન ઓઈલ ઈથનોલના 3 પંપ લઈ આવ્યો હતો પરંતુ હજુ સુધી એક ટીંપુ પણ વેચાયું નથી.
After electric scooters - electric cars and electric buses...Soon I will be launching electric tractor and truck too: Union Minister Nitin Gadkari, in Pune, Maharashtra
ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ લોન્ચ કરીશું- ગડકરી
ભારતમાં હવે ઈલેક્ટ્રીક વાહનોનો યુગ શરુ થયો છે. ઈલેક્ટ્રીક સ્કૂટર્સ, કાર, બસ જેવા સાધનો તો પહેલેથી ચાલી રહ્યાં છે અને હવે ટૂંક સમયમાં સરકાર ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ પણ આવી રહી છે. આ અંગે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. એક પ્રસંગે બોલતા ગડકરીએ કહ્યું કે વૈકલ્પિક ઈંધણ ભવિષ્ય છે. ઈલેક્ટ્રીક સ્કૂટર્સ, કાર, બસ પછી હવે ટૂંક સમયમાં અમે ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ દાખલ કરવામાં આવશે. ગડકરીએ કહ્યું કે હું ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સને લોન્ચ કરીશ.