કેન્દ્રીય પરિવહન મંત્રીએ ઈથનોલના ઉપયોગને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત
ટૂંક સમયમાં લોન્ચ કરીશ ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ
ખેડૂતોને મળશે મોંઘા ડીઝલમાંથી છૂટકારો
ઈથનોલ જેવા વૈકલ્પિક ઈંધણના ઉપયોગની જરુર
ભારતમાં હવે ઈલેક્ટ્રીક વાહનોનો યુગ શરુ થયો છે. ઈલેક્ટ્રીક સ્કૂટર્સ, કાર, બસ જેવા સાધનો તો પહેલેથી ચાલી રહ્યાં છે અને હવે ટૂંક સમયમાં સરકાર ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ પણ આવી રહી છે. આ અંગે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સના આગમન બાદ ખેતીમાં ક્રાંતિકારી સફળતા મળવાની આશા છે. કારણ કે તેનાથી ખેડૂતોને મોંઘા ડીઝલથી છૂટકારો મળશે અને તેનો નિભાવ ખર્ચ પણ ઓછો આવશે. દેશમાં હવે થોડા વખતમાં ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ દોડતી દેખાશે અનેે આ દિશામાં નીતિન ગડકરીએ એક મહત્વની જાહેરાત કરી દીધી છે.
After electric scooters - electric cars and electric buses...Soon I will be launching electric tractor and truck too: Union Minister Nitin Gadkari, in Pune, Maharashtra
Alternative fuel like ethanol & methanol as well as electric is the future. I remember, 3 years ago when I used to talk about e-vehicles, people use to question me. But see now, there is a lot of demand for e-vehicles. People are in waiting: Union Minister Nitin Gadkari, in Pune pic.twitter.com/91RHjtRidW
ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ લોન્ચ કરીશું- ગડકરી
એક પ્રસંગે બોલતા ગડકરીએ કહ્યું કે વૈકલ્પિક ઈંધણ ભવિષ્ય છે. ઈલેક્ટ્રીક સ્કૂટર્સ, કાર, બસ પછી હવે ટૂંક સમયમાં અમે ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સ દાખલ કરવામાં આવશે. ગડકરીએ કહ્યું કે હું ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક ટ્રેક્ટર્સ અને ટ્રક્સને લોન્ચ કરીશ.
બાંધકામ અને ખેતીના સાધનોમાં પણ ઈથનોલ દાખલ કરાશે-ગડકરી
શનિવારે ઈથનોલ જેવા વૈકલ્પિક ઈંધણની જરુરિયાત પર ભાર મૂકતા કહ્યું કે બાંધકામ અને ખેતીના સાધનોમાં પણ ઈથનોલ દાખલ કરવાની સરકારની યોજના છે. ગડકરીએ કહ્યું કે ડીઝલ આધારિત ખેતીના સાધનો પેટ્રોલ આધારિત કરવા જોઈએ અને તેને ઈથનોલમાં કન્વર્ટ કરી શકાય. તેમણે કહ્યું કે બાંધકામ અને ખેતીના સાધનોમાં પણ ઈથનોલને દાખલ કરવાના પ્રયાસો ચાલુ છે.
We'll speak to Bajaj to start scooter-auto in Pune on 100% ethanol. Let's start from here. it will also reduce pollution: Union Minister Nitin Gadkari (2/2) pic.twitter.com/k1AWJQIHPz
ભારત દર વર્ષે 10 લાક કરોડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત કરે છે
તેમણે કહ્યું કે ઊર્જા અને પાવર સેક્ટરની જરુરિયાત પૂરી કરવા માટે ભારત દર વર્ષે 10 લાખ કરોડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત કરે છે અને આગામી પાંચ વર્ષમાં આ માગ વધીને 25 લાખ કરોડ થઈ શકે છે જેને કારણે ઈકોનોમી પર અસર પડશે.
ઈથનોલ પર ચાલતા સ્કૂટર્સ દાખલ કરીશું
ગડરીએ એવું કહ્યું કે પૂણેમાં 100 ટકા ઈથનોલ આધારિત સ્કૂટર શરુ કરવાનું અમે બજાજને જણાવીશું. અહીંથી ઈથનોલ પર ચાલતા સ્કૂટર્સની શરુઆત થવી જોઈએ. તેને કારણે પ્રદૂષણમાં ઘણો ઘટાડો આવશે.
Bajaj TVS & Hero had brought flex engine motorcycle and autos. I went behind PM & got 3 Indian Oil ethanol pumps in Pune but not a single drop of it sold yet so I want to request Ajit Pawar, let's come together & call a meeting with Bajaj: Union Min Nitin Gadkari, in Pune (1/2) pic.twitter.com/QrruYiP1KH
તેમણે કહ્યું કે બજાજ ટીવીએસ અને હીરો કંપની ફ્લેક્સ એન્જિન મોટરસાઈકલ અને ઓટો લાવી હતી. મેં પ્રધાનમંત્રી પાસે રજૂઆત કરી હતી અને પુણેમાં ઈન્ડીયન ઓઈલ ઈથનોલના 3 પંપ લઈ આવ્યો હતો પરંતુ હજુ સુધી એક ટીંપુ પણ વેચાયું નથી.