સામાન્ય રીતે જોયુ હશે કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ઘંટ વગાડવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર એમ કહેવામાં આવે છે કે આવું કરવાથી ભગવાન સુધી મનુષ્યની માનતા જલ્દી પહોંચી જાય છે. આ ઘંટ માત્ર મંદિરની બહાર જ નહીં પરંતુ મંદિરમાં લાગેલા વૃક્ષો પ્રતિમાની નજીક પણ લાગેલી હોય છે. જોકે મંદિરમાં ઘંટ માત્ર ધાર્મિક કારણોસર નથી લગાવવામાં આવતો તેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. જાણો શું છે મંદિરમાં ઘંટ વગાડવાના ફાયદા....
- આધ્યાત્મિક કારણ એ છે ઘંટ વગાડવાથી મંદિરમાં સ્થાપિત મૂર્તિઓમાં ચેતના જાગૃત થાય છે અને તમારી પૂજા વધારે ફળદાયી બની જાય છે.
- વિજ્ઞાન કહે છે કે ઘંટ વગાડવાથી વાતવરણમાં કંપન ઉત્પન્ન થાય છે. જેનાથી આજુબાજુ વાતાવરણમાં સ્થિત જીવાણું નાશ પામે છે. જ્યાં સવાર-સાંજ મંદિરમાં ઘંટ વગાડવામાં આવે છે ત્યાંનું વાતવરણ શુદ્ઘ રહે છે.
- જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે આરતીના સમયે કોઈ મંદિરમાં જતો હોય તો તેની બુદ્ધિ તેજ થાય છે. ઘંટમાંથી નિકળતો અવાજ આપણા મગજ પર ઊંડી અસર કરે છે.
- મંદિરના ઘંટનો અવાજ આપણા મનને શાંત કરવામાં મદદ કરે છે. જેનાથી માનસિક તાણનું લેવલ ઘટે છે.
- ઘંટ વગાડવાથી બ્રહ્માંડના પહેલા સંગીત નાદની ધ્વનિનો અનુભવ થાય છે. સંગીત આપણને ભાવનાત્મક રૂપે મદદ કરે છે. જ્યારે આપણે ધ્વનિથી ઉત્પન્ન થતાં કંપનને શાંત મનથી અનુભવીએ છીએ તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.