હેલ્ધી ડાયેટ માટે માત્ર સારુ અનાજ, તાજા ફળો અને શાકભાજી પુરતા નથી. અનાજ કયા વાસણમાં રાંધવામાં અને પીરસવામાં આવી રહ્યુ છે તે પણ જરુરી છે. કયા વાસણમાં તેના ઉપયોગથી કેટલો ફાયદો અને નુકશાન થાય છે તે પણ જાણવું જોઇએ.
તાંબુ
તેના વાસણમાં રાતે પાણી રાખીને સવારે ખાલી પેટે પીવાથી અનેક ફાયદા થાય છે. તે પાચકની જેમ કામ કરે છે. જોકે ઠંડીના દિવસોમાં આમ ન કરવું જોઇએ. તેનાથી શરદી કે તાવ થઇ શકે છે. તાંબાના વાસણમાં ગરમ વસ્તુઓ ન રાખવી જોઇએ.
ફાયદો- નેત્ર રોગોમાં ફાયદો થાય છે. સ્મરણશક્તિ વધે છે. પેટ સાફ રહેવાની સાથે લિવર સંબંધિત પરેશાનીથી બચી શકાય છે. લોહી શુધ્ધ રહે છે.
નુકશાન- તેમાં દુધ ન પીવું જોઇએ. 12 કલાકથી વધુ સમય સુધી તેમાં પાણી ન રાખો. તેનાથી સારા બેક્ટેરિયા મરી જાય છે. સફાઇનું પણ ધ્યાન રાખો.
સ્ટીલ
આ કમિશ્રિત ધાતુ છે, જે લોખંડમાં કાર્બન , ક્રોમિયમ અને નિકિલ ભેળવીને બનાવવામાં આવે છે. સસ્તા વાસણોમાં તેને સૌથી સારા માનવામાં આવે છે.
ફાયદો- ઓછી આંચ પર ઝડપથી ગરમ થઇ જાય છે, તેથી પૌષ્ટિકતાનું નુકશાન ઓછુ થાય છે. રિએક્શન પણ બહુ ઓછુ આવે છે.
નુકશાન- વધુ ઘસ્યા બાદ ક્રોમિયમ અને નિકિલ દેખાય છે. જે પેટ સંબંધિત બિમારીઓ લાવે છે. અંદરની સપાટી ઘસાઇ ગઇ હોય તો વાસણ બદલી નાંખો
એલ્યુમિનિયમ
તે એલ્યુમિનિયમ બોક્સાઇટથી બને છે. તેના કુકરમાં જમવાનુ રાંધવાથી સૌથી વધુ પોષકતત્વોનું નુકશાન થાય છે. તેના વાસણના ઉપયોગથી બચવું જોઇએ.
ફાયદો- સસ્તુ પડે છે, ઝડપથી જમવાનુ બની જાય છે અને સફાઇ સરળતાથી થાય છે.
નુકશાન- કેલ્શિયમ અને આયરન શોષાઇ જવાથઈ હાડકાં નબળા પડે છે. માનસિક, લિવર, કીડની, પેટ સંબંધિત, અસ્થમા, શુગર વગેરેની બિમારીઓ થઇ શકે છે.
માટી
તેના વાસણને સૌથી સારા માનવામાં આવે છે. તેમા જમવાનુ બનાવવાથી શરીર માટે જરુરી 18 સુક્ષ્મ પોષકતત્વો શરીરને મળે છે. ગંભીર બિમારીઓથી બચી શકાય છે. ખાવાની પૌષ્ટિકતા પણ બચી રહે છે. દહીં કે દુધ માટે તો તેના વાસણોનો ઉપયોગ જરુર કરો.
ફાયદો- અલગ માઇક્રો ન્યુટ્રિઅન્સની જરુર પડતી નથી. કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક. પાચન સારું અને ઘણી વાર સુધી ગરમ રહે છે.
નુકશાન- દુષિત માટીમાંથી બનેલા વાસણોથી પાચન સંબંધિત પરેશાનીઓ થાય છે.