આજકાલ લાઈફસ્ટાઈલ એટલી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, જેના કારણે રોજેરોજ કંઈકને કંઈક નાની મોટી સમસ્યાઓ પરેશાન કરતી રહે છે. જેમાંથી સૌથી કોમન છે માથાનો દુખાવો. ઘણીવાર માથાનો દુખાવો સાધારણ કારણોથી થતો હોય છે, જેને દૂર કરવા લોકો દવાઓ ખાતાં હોય છે. પણ તેનાથી નુકસાન થઈ શકે છે. જેથી માથાના દુખાવાનું કારણ સમજીને કેટલાક ઘરેલૂ નુસખાઓની મદદથી માથાનો દુખાવો દૂર કરી શકાય છે.
માથાના દુખાવાથી છૂટકારો મેળવવા ઘરેલૂ નુસખા અપનાવો
દવાઓ વિના જ માથાના દુખાવાનો કાયમી ઈલાજ થશે
ઘણીવાર સામાન્ય કારણોથી દુખે છે માથું
આવા કારણોથી દુખે છે માથું
સામાન્ય રીતે ઊંઘ પૂરી ન થવી, દાંતમાં દુખાવો, થાક રહેવો, ખોટી દવાઓનું સેવન, આંખોમાં નબળાઈને કારણે માથું દુખે છે. તો કેટલાક લોકોને ચિંતા, તણાવ, પેટમાં ગેસ, અનિયમિત જીવનશૈલી, ખાનપાનની ખોટી આદતોને કારણે પણ માથાનો દુખાવો રહે છે.
પાણી પીતા રહો
ઘણીવાર શરીરમાં પાણીની કમીને કારણે અચાનક માથું દુખાવાનું શરૂ થઈ જાય છે. પણ લોકો સમજી નથી શકતા કે બોડી ડિહાઈડ્રેટ હોવાને કારણે આ સમસ્યા થઈ રહી છે. જેથી દિવસમાં ઓછાંમાં ઓછું 8-9 ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. આની સાથે તમે નારિયેળ પાણી અને જ્યૂસ પણ લઈ શકો છો.
ગ્રીન ટી
માથાનો દુખાવો થવા પર સૌથી પહેલાં ચા યાદ આવે છે, પણ ચાની જગ્યાએ જો ગ્રીન ટી પીવામાં આવે તો તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. વધુ પ્રમાણમાં ચા પીવાથી શરીરને નુકસાન થાય છે. જેથી હેલ્ધી ઓપ્શન પસંદ કરી શકો છો.
એપ્પલ સાઈડર વિનેગર
વિનેગર એક ઔષધી છે. તેનો ઉપયોગ પેટ અને વજન સંબંધી સમસ્યાઓમાં રામબાણ છે. તેનું સેવન કરવાથી માથાના દુખાવમાં તરત રાહત મળે છે. જેના ઉપયોગ માટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી વિનેગર મિક્સ કરીને પીવો અને થોડીવાર સૂઈ જાઓ.
લવિંગનું તેલ
માથાના દુખાવાનો રામબાણ ઈલાજ છે લવિંગનું તેલ. લવિંગના તેલથી કપાળ પર મસાજ કરવાથી માથાના દુખાવામાં આરામ મળે છે.