ઋતુ બદલાતા મચ્છરોનો ત્રાસ વધી જાય છે.મેલેરિયા અને ડેંગ્યુના કિસ્સા ઘેરઘેર જોવા મળે છે. શરૂઆતમાં સામાન્ય લાગતા ડેંગ્યુનો જો સમયસર ઉપચાર ના કરવામાં આવે તો તે જીવલેણ પુરવાર થઇ શકે છે. ડેંગ્યુ ચોમાસાના મહિનામાં એટલે કે જુલાઈથી ઓક્ટોબર વચ્ચે સૌથી વધારે ફેલાય છે. આ સીઝનમાં મચ્છરોને વિકસવા માટે અનુકૂળ પરિસ્થિતિ હોય છે. આથી મચ્છરોને ઘરમાં આવતા રોકવા જરૂરી છે અને તકેદારી રાખ્યા બાદ પણ ડેંગ્યુ થાય તો યોગ્ય સારવાર અને ઘરેલુ ઉપચાર કરશો તો આ બિમારીમાંથી સહેલાઇથી ઉગરી જશો.
એડિસ ઈજિપ્તી મચ્છર કરડવાથી 3થી 5 દિવસો બાદ દર્દીઓમાં ડેંગ્યુના લક્ષણો જોવા મળે છે. સાધારણ ડેંગ્યુ તાવના લક્ષણ છે ઠંડી બાદ ખૂબ તાવ ચડવો માંસપેશી અને સાંધાના દુખાવો આંખના પાછળના ભાગમાં દુખાવો આંખ હલાવવા કે દબાવવાથી દુખાવો વધી જવો અશક્તિ લાગવી ભૂખ ના લાગવી અને બેચેની થવી મોંનો સ્વાદ ખરાબ થઇ જવો ગળામાં સાધારણ દુખાવો થવો અને ખાસ કરીને ચહેરા ગરદન અને છાતી પર લાલ રંગની રેશીસ થવા આ તમામ પ્રકારના લક્ષણો હોય તો તરત જ ચેતી જજો અને મેડિકલ સારવાર લો. આ સાથે જ ઘરેલું નુસ્ખા કરવાથી તમને ફાયદા થશે. ...
- આયુર્વેદમાં ગળાનું ખૂબ જ મહત્વ છે. 1 કપ પાણીમાં 1 ચમચી ગળાનો રસ મિક્સ કરો. ગળાની દાંડી મળે તો 4 ઇંચન દાંડી લો. લીમડાના ઝાડ પર જે વેલ હોય તે વેલ પરથી દાંડી મળે તો સૌથી શ્રેષ્ઠ. તેમાં આદુ મિક્સ કરી પાણી ઉકાળો અને તેનો કાઢો બનાવી 5 દિવસ સુધી પીઓ. તમે ઇચ્છો તો તેમાં થોડું મીઠું પણ મિક્સ કરો અને સવારે 2 વખત સવારે નાસ્તો પછી અને સાંજે ડિનર પહેલા લઇ શકો છો.
- પપૈયાના પાનનો રસ ડેંગ્યુના ફીવરના ડ્યુરેશનને ઓછુ કરી દે છે. જેને કારણે ડેંગ્યુમાં જો હોસ્પિટલમાં દાખલ થયા હોવ તો જલ્દી રજા મળી જાય છે. પપૈયાના પાનનો રસ શરીરમાંથી પ્રવાહી ઓછુ નથી થવા દેતો અને વ્હાઇટ બ્લડ સેલ્સ તથા પ્લેટલેટ્સની સંખ્યા વધારે છે. ડેંગ્યુ છે એવી ખબર પડે ત્યારથી જ પપૈયાના પાનનો રસ દર્દીને આપી શકો છો. અત્યાર સુધી તેની કોઇ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી.
- આ સિવાય બકરીનું દૂધ પચવામાં હલકુ હોય છે. આર્યુવેદના પુસ્તકોમાં ઉલ્લેખ છે કે ડેંગ્યુમાંથી ઉગારવા માટે બકરીનું દૂધ ખૂબ જ અસરકારક છે.
- ભોજનમાં હળદરનો વધુ ઉપયોગ કરો. સવારે અડધી ચમચી હળદર પાણી સાથે અથવા તો અડધી રાત્રે ચમચી હળદર દૂધ કે પાણી સાથે લો. જો તમે શરદી તાવ કે કફ હોય તો દૂધ ન લેવું. ત્યારે પાણી સાથે હળદર લેવી. એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હળદર શરીરનું મેટાબોલિઝમ વધારે છે.
- 8થી 10 તુલસીના પાનનો રસ મધ સાથે મિક્સ કરો. તુલસીના 10 પાનને ગ્લાસ પાણીમાં ઉકાળો. તેમાં 2 મરી અને આદું નાખી શકો છો. આ પાણી ઉકળીને અડધુ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો. તુલસીના ઉકાળાને સવાર સાંજ પીઓ. આનાથી શરીરની ઇમ્યૂનિટી મજબૂત થશે અને બિમારી દૂર થશે.