ઘણાં લોકોને અત્યારે ડબલ સીઝનને કારણે બંધ નાક, શરદી, ખાંસી, ગળામાં ઈન્ફેક્શનની સમસ્યા થતી હોય છે. પણ નાની-નાની તકલીફોને ઘરેલૂ નુસખાઓથી જ દૂર કરી શકાય છે. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે એક એકદમ સરળ ઉપાય જણાવ્યો છે. જેને અપનાવીને તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ.
ગેસ, એસિડિટીથી લઈ શરદીમાં અક્સીર છે આ ઉપાય
બંધ નાક અને ગળામાં ઈન્ફેક્શન પણ મટાડશે
દવાઓ વિના જ ઘરે ઠીક કરો આ સમસ્યા
દવાઓ નહીં, નેચરલ રીત અપનાવો
દવાઓની જગ્યાએ નાની-નાની તકલીફો નેચરલી જ દૂર કરી શકાય છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શરદી-ખાંસી, બંધ નાક, એસિડિટી, ગેસ, ગળામાં ઈન્ફેક્શનને દૂર કરવા માટે સાકરને બહુ જ ફાયદાકારક ગણાવી છે.
બેસ્ટ ઔષધી છે સાકર
ગળામાં ખારાશ, બંધ નાક, શરદી-ખાંસીના ઈલાજ માટે સાકર ટ્રાય કરો. આયુર્વેદમાં સાકરનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. આ ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. આ સિવાય એસિડિટી અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમમાં પણ તે ફાયદાકારક છે. તમે સાકરને ગળી સમજીને ખાવાથી પરેજ કરતાં હો તો તમને જણાવી દઈએ કે આ એક ઔષધી છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
જોકે સાકર અનરિફાઈન્ડ હોય છે. પોષક તત્વોથી ભરપૂર સાકરનો ઉપયોગ તમે રેગ્યુલર પ્રોસેસ્ડ શુગરની જગ્યાએ પણ કરી શકો છો. આ શરીરમાં હીમોગ્લોબિનના સ્તરને મેન્ટેન કરે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને એનિમિયા જેવા રોગ સામે પણ રક્ષણ મળે છે.
ખાવાની રીત
તેના ઉપયોગ માટે સાકરમાં મરીનો પાઉડર અને ઘી મિક્સ કરીને એક કાંચની બરણીમાં ભરી દો. પછી રોજ રાતે જમ્યા બાદ 1 ગ્લાસ દૂધમાં તેને મિક્સ કરી પીવો. તેનાથી તમારી શરદી-ખાંસી, ગળામાં ખારાશ, બંધ નાકની સમસ્યા દૂર થશે. સાથે જ કફ જમા થઈ ગયો હોય તો તેને દૂર કરવા તમે ગરમ પાણીમાં પણ તેને મિક્સ કરીને પી શકો છો.