સુગંધ અને ગુણોને કારણે કેસરનો આયુર્વેદિક દવાઓ, ખાદ્ય વ્યંજનો અને પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય પ્રાચીન સમયથી જ આયુર્વેદ અને યુનાની નુસખાઓમાં કેસરનો ઔષધ તરીકે પ્રયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ઠંડીમાં તો કેસરનું સેવન કરવું જ જોઈએ, જોકે કેસર બધી સિઝનમાં ફાયદાકારક હોય છે પરંતુ ઠંડીમાં વધુ લાભકારક હોય છે કારણ કે આયુર્વેદ પ્રમાણે કેસરની તાસીર ગરમ હોય છે. જેથી ઠંડીમાં કેસરના સેવનથી ઈમ્યૂનિટી પાવરમાં વધારો થાય છે અને પૌરૂષત્વ અને સૌંદર્યમાં પણ વધારો થાય છે. સાથે જ રોગોને પણ દૂર રાખે છે. આ સિવાય પણ તેના અનેક લાભ છે. ચાલો જાણીએ.
કેસર ભલે મોંઘુ છે પણ તેનાથી મળે છે અઢળક સ્વાસ્થ્ય ફાયદાઓ
ખતરનાક બીમારીઓને દૂર રાખે છે કેસર
ઔષધીય ગુણોથી ભરપૂર છે કેસર
રોજ માત્ર 1થી 3 ગ્રામ કેસરનું સેવન કરવું જોઈએ. તેનાથી વધારે સેવન કરવાથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. જેથી વધુ માત્રામાં પણ કેસરનું સેવન ન કરવું.
દરરોજ ભોજનમાં કે કોઈપણ રીતે કેસરનું સેવન કરવાથી મેમરી પાવર વધે છે, મસલ્સ પેઈનમાં રાહત મળે છે અને કિડની સ્ટોનનો દુખાવો દૂર થાય છે. આ સિવાય તેના સેવનથી લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે.
કેસરમાં ક્રોસિન, કોલોરેક્ટલ જેવા ગુણ હોયછે જે કેન્સરના સેલ્સને વધતાં રોકે છે. પ્રોસ્ટેટ અને ત્વચાના કેન્સરમાં કેસરનું સેવન સૌથી વધુ અસર કરે છે.
અર્થ્રાઇટિસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલું ક્રોસેટિન શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. કેસરનું સેવન કરવા ઉપરાંત કેસરના પાનની પેસ્ટ બનાવી તેને સાંધાઓ પર લગાવવાથી લાભ થાય છે.
ચહેરાનો રંગ નિખારવા અને તેજસ્વી બનાવવા માટે કેસરનો માસ્ક સપ્તાહમાં એકવાર ચહેરા પર લગાવો. તેના માટે એક ચમચી ચંદન પાઉડરમાં 2 કે 3 તાંતણા કેસર અને 2 ચમચી દૂધ મિક્ષ કરો. પછી ચહેરો ધોઈને તેની પર આ પેસ્ટ સર્ક્યુલર મોશનમાં લગાવો. હળવા હાથે મસાજ કરો. 20 મિનિટ રાખીને ચહેરો ધોઈ લો.
વધુ પડતો તણાવ અને થાકને લીધે મોટાભાગના લોકોને ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં કેસરનું દૂધ પીવાથી ઘણો ફાયદો થશે. સંશોધન મુજબ કેસરમાં રહેલાં તત્વ અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.
જો તમે માથાના દુખાવાથી પરેશાન છો, તો ઘીમાં કેસર અને ખાંડ નાખીને પકાવો ત્યારબાદ તે ઠંડુ થાય એટલે આ ઘીના 1-2 ટીપાં નાકમાં નાંખો. તરત જ આરામ મળશે.
શરદીની સમસ્યામાં રોજ રાતે એક ગ્લાસ દૂધમાં બે તાંતણા કેસર અને એક ચમચી મધ નાખીને લેવાથી શરદીમાં રાહત મળે છે અને મીઠી નીંદર પણ આવે છે.
જે લોકોના વાળ માથાના વચ્ચેના ભાગથી જતા રહ્યાં હોય, તેણે દૂધમાં થોડું જેઠીમધનું પાઉડર મિક્સ કરી તેમાં ચપટી કેસર નાખીને તેની પેસ્ટ બનાવીને સૂતા સમયે ટાલ પર લગાવવાથી ટાલ પર નવા વાળ ઉગવા લાગશે.
કેસરમાં રહેલાં ઔષધીય ગુણ સ્કિનને ડિટોક્સ કરે છે અને સાથે જ સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં પણ મદદ કરે છે. કેસરનું દૂધ પીવાથી ખીલ, એક્ને જેવી સમસ્યાઓ જડથી દૂર થઈ જાય છે.