ઘણા લોકોને સતત અપચાની સમસ્યા લગભગ રોજ સતાવતી હોય છે. જાણીતા આર્યુવેદિક એક્સપર્ટ અનુસાર જે પણ ભોજન લઈએ છીએ તેમાંથી આપણું શરીર ઉપયોગી પદાર્થો જ ગ્રહણ કરે છે. તેમાંથી જે પદાર્થ ઉપયોગી નથી હોતા તે વેસ્ટ હોય છે. આ વેસ્ટને શરીર બને એટલું જલદી બહાર કાઢવા ઇચ્છે છે કારણકે તેનાથી શરીરને કોઇ જ ફાયદો મળતો નથી. આ પદાર્થો શરીરમાં જેટલો વધુ સમય રોકાય છે તેટલું જ શરીરને વધુ નુકસાન થાય છે. શરીરમાંથી આ વેસ્ટ બહાર ન નીકળી શકે તેને અપચો કહેવાય છે.
હા જોકે આ વાત સમજવી જરૂરી છે કે 2-3 દિવસમાં વેસ્ટ નીકળવો પણ સામાન્ય છે અને દિવસમાં 2-3 વાર વેસ્ટ નીકળવો પણ સામાન્ય જ છે એટલે કારણ વગર પોતાની જાતને અપચાના દરદી પણ ન સમજવા. આજે અમે તમને જણાવી રહ્યા છીએ અપચો દૂર કરવાના કારગર ઉપાયો વિશે.
- 5 ગ્રામ ત્રિફળા ચૂર્ણને મધમાં મિક્સ કરીને રાત્રે ખાવાની સાથે મિક્સ કરીને ગરમ દૂધ પીવાથી અપચાથી છૂટકારો મળે છે.
- એક ચમચી ઇસબગુલનો અડધી વાટકી દહીં સાથે મિક્સ કરીને લેવાથી અપચાથી છૂટકારો મળે છે.
- સવારે પપૈયું ખાઇ દૂધ પીવાથી પેટ સાફ થઇ જાય છે.
- પાકેલું તરબૂચ ખાવાથી પણ અપચાની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
- અપચા માટે અંજીર બેસ્ટ ઉપાય છે. રાત્રે સૂતા પહેલાં દૂધમાં અંજીર પીવાથી ફાયદો થાય છે.
- રોજ 50 ગ્રામ કાચાં ટામેટા ખાવાથી અપચાની સમસ્યામાંથી છૂટકારો મળે છે.