જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ 9 ગ્રહો ચોક્કસ સમયગાળામાં રાશિ બદલી નાખે છે. ગ્રહોનું પરિવર્તન કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થાય છે.
વ્યાપારમાં થશે આર્થિક લાભ
મંગળ દેવ કરશે કુંભ રાશિમાં પ્રવેશ
કરિયરમાં ઉન્નતિનો છે યોગ
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ 7 એપ્રિલ, 2022 ના રોજ શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે. તેઓ 17 મે, 2022 સુધી આ સ્થિતિમાં રહેશે. મંગળનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે. આવો જાણીએ કઇ રાશિ પર મંગળ મહેરબાન રહેશે.
મેષ
મેષ રાશિના જાતકો માટે મંગળનું ગોચર ખૂબ જ શુભ રહેશે. ગોચર દરમિયાન કેટલાક કામમાં રોકાણ કરવાથી ફાયદો થશે. આ સિવાય કેટલાક મોટા આર્થિક લાભના સંકેત પણ છે. જો કે, સંબંધોમાં પડકારો આવી શકે છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકોને મંગળના ગોચરથી લાભ થઈ શકે છે. નોકરી-ધંધામાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકશો. આ સાથે આવકના નવા સ્ત્રોત પણ બનશે.
મિથુન
મંગળના ગોચરને કારણે વેપારમાં આર્થિક લાભ થઈ શકે છે. જમીન-જાયદાદથી ધનલાભનો યોગ બનશે. તેની સાથે રોજની આવક પણ વધી શકે છે. જોકે ગોચરના સમયમાં રોકાણ કરતાં પહેલાં સલાહ લેવી યોગ્ય રહેશે.
ધન
ધન રાશિના લોકો માટે ગોચર દરમિયાન ધનલાભ થવાના યોગ છે. પરિવારના સભ્યો તરફથી આર્થિક લાભ થઈ શકે છે. કરિયરમાં ઉન્નતિની પ્રબળ સંભાવના છે. ગોચર દરમિયાન વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. અટવાયેલા પૈસા મળી શકે છે.
કુંભ
મંગળનું ગોચર નોકરી-ધંધામાં ઘણો ફાયદો કરાવશે. ઈચ્છા અનુસાર નોકરીનું સપનું પણ પૂરું થઈ શકે છે. મંગળ ગોચરના સમયગાળા દરમિયાન રોકાણને લઈને સાવધાની રાખવી પડશે. અચળ મિલકતમાંથી નાણાંકીય લાભ થઈ શકે છે.