ભારતમાં રિકવરીથી વધારે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. જો કે સારી વાત એ છે કે ગત 24 કલાકમાં 85 લાખ લોકોનો રસીનો ડોઝ અપાયો છે.
ગત 24 કલાકમાં 9419 નવા મામલા સામે આવ્યા
કાલની સરખામણીમાં નવા કેસ લગભગ 1000 વધારે
દેશમાં હાલમાં 94, 742 એક્ટિવ કેસ છે
ગત 24 કલાકમાં 9419 નવા મામલા સામે આવ્યા
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને દેશ અને દુનિયાની ચિંતા વધારી દીધી છે. ભારતમાં અનેક મામલા અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ ગત 24 કલાકમાં 9419 નવા મામલા સામે આવ્યા છે. કાલની સરખામણીમાં લગભગ 1000 વધારે છે. જો કે દેશમાં કોરોનાની રસી લગભગ 85 લાખ ડોઝ અપાઈ ચૂક્યા છે.
દેશમાં હાલમાં 94, 742 એક્ટિવ કેસ છે
કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડા પર નજર નાંખીએ તો દેશમાં હાલમાં 94, 742 એક્ટિવ કેસ છે. માર્ચ 2020ની સરખામણીમાં આ સૌથી ઓછા છે. રિકવરી રેટ પણ ઘણો સારો છે. દેશમાં 98.36 ટકાના દરથી દર્દી સાજા થઈ રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી 130. 39 કરોડ દર્દીને રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. કાલે લગભગ 85 લાખ દર્દીઓને રસી આપવામાં આવી
રિકવરીથી વધારે નવા કેસ
ઓમિક્રોનની અસરની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય માટે એક વાત ચિંતા વધારનારી સાબિત થઈ શકે છે. ગત 24 કલાકમાં જેટલા લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેનાથી વધારે સંક્રમિત થયા છે. ગત 24 કલાકમાં 9419 લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. ત્યારે 8251 દર્દી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 65.18 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ થયો છે.