તાવ ક્યારે પણ કોઈને પણ આવી શકે છે. એવા લોકો જેમની ઈમ્યૂનિટી વીક હોય છે તેમણે ઈન્ફેક્શન થવાનો ખતરો વધુ હોય છે. તાવ મટતાં સામાન્ય રીતે 3-4 દિવસ લાગે છે. પણ તાવ આવતા જ ઘણાં લોકો તરત ડોક્ટર પાસે દોડી જાય છે. જોકે તાવ પણ આપણાં શરીરના રક્ષણ માટે આવે છે કારણ કે જ્યારે શરીરનું તાપમાન વધે છે ત્યારે બેક્ટેરિયા અને વાયરસનો ગ્રોથ ઘટવા લાગે છે. પણ સાથે આ વાતનું પણ ધ્યાન રાખવું કે જો શરીરનું તાપમાન બહુ જ વધી જાય તો તે ઘાતક નીવડી શકે છે. જેથી તેને કંટ્રોલ કરવું પણ જરૂરી છે. તો ચાલો જાણીએ તાવને દૂર કરવાના કેટલાક આયુર્વેદિક ઉપાય.
આ વસ્તુ રોગો સામે લડવાની તાકાત
સામાન્ય તાવ ઓછું કરવા અથવા દૂર કરવા માટે ઘણાં ઉપાયો આયુર્વેદે જણાવેલાં છે. કેટલાક ચૂર્ણની મદદથી પણ તેને દૂર કરી શકાય છે.
આ 5 પ્રકારના ચૂર્ણની મદદથી તાવને દવાઓ વિના જ મટાડી શકાય છે. તેના માટે પીપરીમૂળ (ગંઠોડા), કુટકી ચૂર્ણ (સોગઠી), કંટકારી ચૂર્ણ (એક વનસ્પતિ), પુષ્કરમૂળ ચૂર્ણ 2-2 ચમચીની માત્રામાં ચૂર્ણ લઈ મિક્સ કરી લો. આ બધાં જ ચૂર્ણ સરળતાથી આયુર્વેદિક અથવા જડી-બૂટ્ટીના સ્ટોર પર મળી જશે.
આ પાઉડરને એક ડબ્બીમાં રાખી લો. હવે સવાર-બપોર અને સાંજ અડધી ચમચીની માત્રામાં તેને મધમાં મિક્સ કરીને ખાઓ.
આ સિવાય તમે અન્ય ઉપાયમાં મહાસુદર્શન ઉકાળો અને દશમૂળ ઉકાળો લઈ આવો. આ પણ સરળતાથી મળી રહેશે. આ બંનેને 10-10 મિલીની માત્રામાં લઈને મિક્સ કરી સવાર-સાંજ લો.
અન્ય ઉપાય
તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4-5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3-4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.
રાતે 1 કપ પાણી 1 ચમચી મેથી દાણા પલાળી દો. સવારે પાણી ગાળીને તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.
લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો. આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો.
આ રીતે ઓળખો તમને ક્યો તાવ આવ્યો છો
મલેરિયા- તાવ, શરદી, ધ્રુજારી ચડે. એકથી ત્રણ દિવસના અંતરાલમાં તાવ આવે. પરસેવા સાથે તાવ ઉતરે છે.
ડેન્ગ્યુ- તેજ ફીવરની સાથે માથામાં સખત દુખાવો, આંખોમાં દર્દ, શરીરમાં દુખાવો, શરીર પર લાલ ચકામા (4-5 દિવસ પછી)
ટાઈફોઈડ- હાઈ ફીવર જે રોજ વધતું જાય. ભૂખ ન લાગવી, ઊલ્ટી, દસ્ત, શરીર પર લાલ રંગના દાણા (ક્યારેક નથી પણ થતાં), જીભ પર વી શેપની સફેદ કોટિંગ
વાયરલ ફીવર- શરદી, ખાંસી, શરીરનો દુખાવો સાથે તાવ આવવો