VTVના 'ઓપરેશન દ્રોહ' બાદ આદિવાસી વિભાગના કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. ઓપરેશન દ્રોહ બાદ ગુજરાતના શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને 8 કોલેજ સામે તપાસના આદેશ આપ્યા છે.
આદિવાસી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિ લેનાર સામે કડક પગલાં ભરવામાં આવશે અને ભૂતિયા વિદ્યાર્થીઓ ઉભા કરીને શિષ્યવૃતિ લેનાર કોલેજ સામે કડક કાર્યવાહી કરશે. આદિવાસી વિભાગના કમિશનર રણજિત કુમારે VTVનો આભાર માન્યો અને કહ્યું કે, ગુજરાતની તમામ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓના એડમિશન બાબતે તપાસ કરવા આદેશ અપાયા છે.
આ 8 કોલેજોમાં ચાલતું હતું કૌભાંડ
ગોંડલની એશિયાટીક ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી
મહેમદાબાદની D.A ડિપ્લોમા એન્ડ એન્જિનિયરિંગ
મહુડીની અતુલ પોલિટેકનીક કોલેજ
જૂનાગઢની એન.આર.વેકરીયા ઈન્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી
ગુજરાતની એક્સલ,બી.એસ પટેલ, વેદ વ્યાસ જેવી કોલેજ
દાલીયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા કોલેજ
કલોલમાં આવેલી સ્વામીનારાયણ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
ઈમેજ એન્જિનિયરિંગ ઓફ ટેકનોલોજી
તંત્રએ ન લીધી તસ્દી
રાજયની ડિપ્લોમા કોર્સ કરાવતી કોલેજો રાજય સરકારની તિજોરીને ખુલ્લેઆમ લૂંટી ભ્રષ્ટાચાર ચલાવી રહી હોવાના પુરાવા સામે આવ્યા છે. VTVએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં રાજયની અનેક કોલેજો, એડમિશનની પ્રક્રિયા કરતુ એસીપીડીસી, જીટીયુ, સમાજ કલ્યાણ ખાતુ, બેન્ક મેનેજરો અને તેની સાથે જોડાયેલા એજન્ટો મળીને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ ચાઉ કરી વર્ષે કરોડો રુપિયાનો કૌભાંડ આચરી રહ્યા છે.. અને આ કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લે આમ આચરાતુ હોવા છતાં સરકારે આ કૌભાંડની તપાસ કરવાની કે કૌંભાંડ સુધી પહોંચવાની ક્યારેય તસ્દી લીધી નથી ત્યારે VTVએ ખુલ્લો પાડયો છે એજ્યુકેશન સિસ્ટમનો સ્માર્ટ કૌભાંડ.
આ રીતે ચાલતું હતું સમગ્ર કૌભાંડ
સરકાર દ્વારા ડિપ્લોમામાં ઓનલાઈન એડમિશન માટે અરજીઓ મંગાવાય છે
ઓનલાઈન દરમિયાન બધુ ઠીક ચાલે
ઓનલઈન એડમિશન વખતે અનેક કોલેજોમાં સીટો ખાલી પડી રહે છે
ઓનલાઈન પ્રક્રિયા બાદ કોલેજ ઓફલાઈન સીટો ભરવા એસીપીસી પાસે મંજુરી માંગે છે
મંજુરી મળ્યા બાદ ધોરણ 10 પછી ભણવાનું છોડી દીધેલા વિદ્યાર્થીઓને એજન્ટો શોધે છે
આ બાળકો પાસેથી એજન્ટો થોડાક પૈસાની લાલચ આપી ડોક્યુમેન્ટ લઈ આવે છે
ડોક્યુમેન્ટ આધારે કોલેજમાં ઓફલાઈન એડમિશન થાય છે
એડમિશન બાદ શિષ્યવૃતિના ફોર્મ ભરવામાં આવે છે
આ શિષ્યવૃતિ વિદ્યાર્થીઓના ખાતામાં પડે છે અથવા ફી શિપ કાર્ડ હોય તો કોલેજના ખાતામાં પડે છે
કોલેજ દ્વારા તમામ ડમી વિદ્યાર્થીઓના ખાતાઓ કોઈ ચોક્કસ નક્કી કરેલી એક જ બેન્કમાં ખોલાવે છે
શિષ્યવૃતિ જમા થયા બાદ વિદ્યાર્થીની ખોટી સાહી કરી કોલેજ પૈસા ઉપાડી લે છે
આ તમામ પ્રક્રિયાના કૌભાંડમાં વિદ્યાર્થીથી લઈ સામાજિક કલ્યાણ વિભાગ સામેલ હોય છે