શિક્ષણ વિભાગની ગાઈડલાઈન છતા કોરોનાના કહેર વચ્ચે શાળા સંચાલકોએ ફીની ઉઘરાણી શરૂ કરી છે. ત્યારે હવે ફી મુદ્દે દબાણ કરતી શાળાઓ સામે સરકાર કડક બની છે. ફીને લઇને દબાણ કરતી સ્કૂલો વિરુદ્ધ કાર્યવાહી થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી. શિક્ષણ વિભાગના બજેટ અને ફી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ફી અંગે જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણ સચિવ વિનોદ રાવે તમામ જિલ્લાના DEOને આદેશ કર્યો
3 મહિના સુધી ફી મુદ્દે દબાણ નહીં કરી શકેઃ શિક્ષણ સચિવ
જો કોઈ સ્કૂલો ફી ઉઘરાવશે તો પગલા લેવામાં આવશે
કોરોના સંકટના કારણે શાળાઓ હજુ સુધી ખોલવામાં આવી નથી. પરંતુ ખાનગી શાળાઓ દ્વારા સરકારી નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. શાળાઓને ફી લેવાની મનાઈ કરાઈ હોવા છતાં વાલીઓ પર દબાણ કરાઈ રહ્યું છે. શિક્ષણ મંત્રી પહેલા જ શાળાઓને ફી ન લેવા સૂચન કરી ચુક્યા છે. શાળાઓ તરફથી હજારો રૂપિયા ફીની માગણી કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની પ્રથમ બેઠક મળી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્કૂલ, કોલેજ શરૂ કરવા મામલે થઇ ચર્ચા હતી. સાથે ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા લેવામાં આવતી ફી મુદ્દે પણ ચર્ચા થઇ હતી. ત્યારે શાળા સંચાલકોની મનમાની સામે સરકાર સખ્ત બની છે. સ્કૂલો દ્વારા પુસ્તકો અને ટ્રાસ્પોટેશનની લેવાથી ફી મુદ્દે થઈ ચર્ચા હતી. શિક્ષણ વિભાગના બજેટમાં કાપ મુકવા બાબતે થઈ ચર્ચા છે. શિક્ષણ વિભાગનો ખર્ચ ઓછો કરવા બાબતે ચર્ચા થઇ છે.
3 મહિના સુધી ફી મુદ્દે દબાણ નહીં કરી શકેઃ શિક્ષણ સચિવ
શિક્ષણ સચિવ વિનોદ રાવે તમામ જિલ્લાના DEOને આદેશ કર્યો છે. શિક્ષણ સચિવે કહ્યું કે, સ્કૂલમાં સ્ટેશનરી વેચતા સંચાલકો સામે કાર્યવાહી થશે. 3 મહિના સુધી ફી મુદ્દે દબાણ નહીં કરી શકે. વાલીઓ માસિક હપ્તાથી ફી ભરી શકશે. ખાનગી શાળાઓ પર શિક્ષણ વિભાગ નજર રાખશે. જો કોઇ શાળા દબાણ કરે તો વાલી સરકારને ફરિયાદ કરે છે.
લોકો ફી આપી શકે તેવા હોય તો એ લોકો ફી ભરી શકે છે, બીજા પર દબાણ ન કરવુંઃ શિક્ષણ સચિવ
સ્કૂલોની મનમાની મામલે ગઇકાલે પણ શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું હતું કે જો કોઈ સ્કૂલો ફી ઉઘરાવશે તો પગલા લેવામાં આવશે. કોઈપણ શાળા આ પ્રકારની ઉઘરાણી નહીં કરી શકે. જો કોઈ શાળા ઉઘરાણી કરતી હશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે લોકો ફી આપી શકે તેવા હોય તો એ લોકો ફી ભરી શકે છે. પણ ન ભરી શકે તેવા વાલીઓ પર દબાણ ન કરવું જોઈએ.
ફી માટે વાલીઓને દબાણ નહીં કરી શકે સ્કૂલ સંચાલકોઃ ભૂપેન્દ્રસિંહ
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ગઇકાલે જણાવ્યું હતું કે, કોઇ સ્કૂલ સંચાલક ફી માટે વાલીઓને દબાણ નહીં કરી શકે. સાથે માર્કશીટ કે લિવિંગ સર્ટી પણ નહીં અટકાવી શકે. સ્કૂલોએ સરકારે આપેલા આદેશોનું પાલન કરવું પડશે. મહત્વનું છે કે, આ અગાઉ શિક્ષણમંત્રીએ સપ્ટેમ્બર સુધી ફી ન ઉઘરાવવા માટે કહ્યું હતું. છતાં શાળાના સંચાલકો છે કે સરકારના નિયમોને પણ માનવા તૈયાર નથી. બસ તેમને પોતાના ખિસ્સા જ ભરવા છે.
મહત્વનું છે કે, અમદાવાદની સોમલલિત, યુરો સ્કૂલ, આનંદનિકેતન અને DPS સ્કૂલ સહિત રાજ્યની અનેક શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે.