યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે કટેલીક સ્પષ્ટતા કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે યુજીસીની પરીક્ષા લેવાનો નિર્ણય યોગ્ય જ છે. પરીક્ષા દરેક રાજ્યોની યુનિવર્સિટિીએ યોજવી જ પડશે, પરંતુ પરીક્ષા 30 સપ્ટેમ્બર પહેલા જ યોજવી એ ફરજીયાત નથી. રાજ્ય આપદા કાયદા હેઠળ નિર્ણય કરી શકે છે.
યુનિ.ઓમાં અંતિમ વર્ષની પરીક્ષા પર SCનો ચુકાદો
સુપ્રીમકોર્ટે UGCના નિર્ણયને યોગ્ય ગણાવ્યો: SC
UGCની ગાઇડલાઇન યોગ્ય: SC
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે રાજ્યો પરીક્ષા ઈચ્છતા નથી તેઓ અરજી કરી શકે છે. પરીક્ષાઓ ફરજિયાત છે. રાજ્ય પોતાની રીતે નિર્ણય કરી શકે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે UGCની મંજૂરી વિના વિદ્યાર્થીઓને પ્રમોટ નહીં કરી શકાય. સુપ્રીમ કોર્ટમાં વકીલ બેંચમાં ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, આર. સુભાશ રેડ્ડી અને એમ.આર, શાહે કહ્યું કે રાજ્ય અને યૂટી પોતે જ વિદ્યાર્થીઓને પાસ કરી શકશે નહીં. યૂજીસી પરીક્ષા કેન્સલ કરવા માટે રાજ્યએ સંપર્ક કરવાનો રહેશે. ખંડપીઠે કહ્યું કે યૂજીસીની ગાઈડલાઈનને ખતમ કરવાના નિવેદનનો અસ્વીકાર કરાયો છે. તેના નિર્ણયો જ માન્ય રહેશે. હાલમાં કોઈ પણ રાજ્ય પાસે મહામારીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ગયા વર્ષના પરિણામના આધારે પાસ કરવાનો અધિકાર નથી.
જો કોઈ રાજ્યમાં પરીક્ષા યોજી શકાય તેમ નહીં હોય તો પરીક્ષાઓની તારીખમાં વિસ્તાર કરવાની માંગ યૂજીસી પાસે કરી શકાય છે. પરીક્ષાની ડેડલાઈન વધારી શકાશે પરંતુ પરીક્ષાઓ તો લેવી જ પડશે. અન્ય તરફ વિદ્યાર્થીઓની માંગ છે કે તેમને પરીક્ષા આપ્યા વિના જ પાસ જાહેર કરી દેવામાં આવે. 18 ઓગસ્ટે સુનાવણી બાદ નિર્ણયને મોકૂફ રખાયો હતો. દરેક પક્ષે પોતાની દલીલ રાખ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત નિર્ણય લીધો છે.