શિક્ષણ ઓનલાઇન જયારે યુનિ.ની પરીક્ષા ઓફલાઇન કેમ એવો પણ વાલીઓ સવાલ કરી રહ્યા છે જો કે, ઓફલાઇન પરીક્ષા સરકારની ગાઇડલાઇન મુજબ લેવાઇ રહી છે. શિક્ષણ વિભાગે પી.જી.પરીક્ષા લેવાની પરવાનગી આપી છે.
20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
100થી વધુ કોલેજોમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થાનું આયોજન. 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. કોવિડના નિયમો પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. અમદાવાદ અને ગાંધીનગરની કોલેજમાં સેન્ટર આપવામા આવ્યુ છે. M com સેમિસ્ટર 1ની સવારે 9થી 11 અને MA સેમિસ્ટર 1ની 12થી 2 પરીક્ષા યોજાશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1961 કેસ નોંધાયા છે અને 1405 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,80,285 કોરોના મુક્ત થયાં છે. તો 7 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4473 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
છેલ્લા 4 દિવસથી કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે વધારો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ચિંતાજનક વધારો નોંધાયો છે. સોમવારે રાજ્યમાં 1640 કેસ, મંગળવારે 1730 કેસ, બુધવારે 1790 કેસ અને આજે 1961 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટ છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 551 કેસ અને ગ્રામ્યમાં 7 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 501 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 127 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 164 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 146 કેસ અને ગ્રામ્યમાં 320 કેસ નોંધાયા છે
જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
જાણો આજે કેટલા લોકોનું થયું રસીકરણ
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,64,161 લોકોને પ્રથમ ડોઝ અને 6,21,158 લોકોને બીજા ડોઝની રસી અપાઇ ચૂકી છે. આમ કુલ 44,85,319 રસીકરણના ડોઝ અપાયા છે. ગુજરાતમાં તેજ ગતિથી વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું છે.
તમામ સરકારી કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે: ગુજરાત સરકારનો નિર્ણય
કોરોનાના વધતા સંક્રમણને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોટો નિર્ણય કરાયો છે. સરકારના તમામ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. સરકારી કર્મચારીઓના વેક્સિનેશન માટે કોઇ વય મર્યાદા ધ્યાને લેવાશે નહીં. તમામ વયના સરકારી કર્મચારીઓને કોરોના વેક્સિન અપાશે. સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર માની વેક્સિન અપાશે.
આજે CM કાર્યાલયના 70થી વધુ કર્મીઓને પણ અપાઇ છે વેક્સિન
ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કોરોના સમયથી સતત કાર્યરત સચિવાલયનામાં કાર્યરત 70થી વધુ કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. સચિવાલયના રસીકરણમાં કર્મચારીઓમાં વયમર્યાદા રાખવામાં આવી નથી.
રાજ્યમાં દરરોજના 3 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ
રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે કોરોનાથી બચવા ફક્ત બે જ વિકલ્પ છે. એક માસ્ક તથા બીજું વેક્સિન ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં દરરોજના 3 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. તથા શહેરમાં સંક્રમણ વધતા લોકોમાં જાગૃતતા પણ વધી છે. ત્યારે વીટીવી પણ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યુ છે.
નિરાધારો અને વંચિતોને આધાર કાર્ડ વિના પણ અપાશે કોરોના વેક્સિન
થોડા દિવસ અગાઉ પણ કોરોના મુદ્દે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થામાં રહેતા લોકોને વેક્સિન આપવામાં આવશે. 45 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓને આ વેક્સિન આપવામાં આવશે. જેમાં આધાર કાર્ડ વિના પણ વેક્સિનનો લાભ લઈ શકશે. આ ઉફરાંત વંચિત અને નિરાધાર લોકોને પણ વેક્સિન મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.