ગુજરાતમાં કોરોનાકાળની વચ્ચે આજથી પરીક્ષાઓની શરૂઆત થઈ ગઈ છે.
કોરોનાકાળની વચ્ચે આજથી શાળાઓમાં પરીક્ષા
ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની કસોટી
22 માર્ચ સુધીમાં પરીક્ષા પૂર્ણ કરાશે
કોરોનાકાળ વચ્ચે આજથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ છે. આજથી ધો,3થી 8ના વિધાર્થીઓની પ્રથમ કસોટી શરૂ થઈ છે. 22 માર્ચ સુધીમાં પરીક્ષા પૂર્ણ કરાશે અને ખાનગી,સરકારી, ગ્રાન્ટેડ શાળાઓના પ્રશ્નપત્ર સમાન રહેશે.
રાત્રિ કર્ફ્યૂ લંબાઈ શકે
ગુજરાતમાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાની પૂરેપૂરી શક્યતા છે. રાત્રિ કર્ફ્યૂ 31 માર્ચ સુધી લંબાઇ શકે છે. આજે રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થાય છે. જ્યારે દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પ્રચારમાં બેદરકારીના કારણે કોરોનાના કેસ વધ્યા છે. ઉપરાંત ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં પણ કોઇ નિયમોનું પાલન નથી થતું. જેના કારણે કોરોનાના કેસ વધી શકે છે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો
એક જ દિવસમાં નોંધાયા 810 કેસ
રાજ્યમાં કુલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર
રાજ્યમાં કોરોનાના 4 હજાર 422 એક્ટીવ કેસ
કોરોનાથી રાજ્યમાં એક દિવસમાં 2 દર્દીના મૃત્યુ
રાજ્યમાં કુલ 2 લાખ 69 હજાર 361 દર્દીઓ સાજા થયા
અમદાવાદમાં એક દિવસમાં 165 કેસ નોંધાયા
સુરત શહેરમાં 217 કેસ,સુરત ગ્રામ્યમાં 24 વધુ કેસ
વડોદરા શહેરમાં 95 કેસ,ગ્રામ્યમાં વધુ 22 કેસ
રાજકોટ શહેરમાં 61 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 9 કેસ
ભાવનગરમાં 29 કેસ, ગાંધીનગરમાં વધુ 16 કેસ નોંધાયા
જામનગરમાં 6 કેસ, જૂનાગઢમાં 5 કેસ
કચ્છમાં 7, મહેસાણામાં વધુ 18 કેસ નોંધાયા
ગીર સોમનાથમાં 5, દાહોદમાં વધુ 10 કેસ નોંધાયો
ભરૂચમાં 8, નર્મદામાં 2, ખેડામાં વધુ 17 કેસ નોંધાયા