એક તરફ કોરોનાને કારણે રાજ્યમાં વાલીઓના કામધંધાઓ બંધ છે. શાળાઓ પણ બંધ છે. આવામાં શાળાઓની ફીને લઈને વાલીઓ મુંજાયા છે. જેને લઈને કોંગ્રેસે શાળાઓમાં ફી માફ કરવાનો મુદ્દો ઉઠાવ્યો.
સદનમાં જુદી વાત અને બહાર જુદી વાત
નક્કર પગલા લેવામાં સરકાર નિષ્ફળ
ફીનો મુદ્દો નથી ઉકેલી શકતા
એક તરફ કોરોનાને કારણે રાજ્યમાં વાલીઓના કામધંધાઓ બંધ છે. શાળાઓ પણ બંધ છે. આવામાં શાળાઓની ફીને લઈને વાલીઓ મુંજાયા છે. જેને લઈને કોંગ્રેસે શાળાઓમાં ફી માફ કરવાનો મુદ્દો ઉઠાવ્યો. જોકે, ફી માફી મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિરાશાજનક નિવેદન આપ્યું. હાઈકોર્ટમાં મુદ્દો ખતમ થયો હોવા છતાં મંત્રી હાઈકોર્ટના નામે સ્પષ્ટતા કરવાથી ભાગી રહ્યા છે.
શાળા સંચાલકોની માફિયાગીરી અને શિક્ષણ વિભાગની નબળાઈ
હાઈકોર્ટે સમજણથી મુદ્દો ઉકેલવા કહ્યું છે પણ શિક્ષણ વિભાગ પાસે કોઈ રસ્તો નથી, શાળા સંચાલકોની માફિયાગીરી અને શિક્ષણ વિભાગની નબળાઈથી વાલીઓ દંડાઈ રહ્યાં છે. મહામારીમાં ફી ઓછી કરવા માટેનો સરકારનો આદેશ પણ માફિયાઓ નથી માનતા.
શિક્ષણમંત્રી હાઈકોર્ટના નામે ચર્ચાથી દૂર ભાગે છે
જ્યારે હાઈકોર્ટમાંથી કેસ સરકાર પાસે જ છે તો શિક્ષણમંત્રી હાઈકોર્ટનું નામ કેમ લે છે. કોંગ્રેસે કરેલા આરોપો પછી પત્રકાર પરિષદમાં શિક્ષણમંત્રીએ ગોળ-ગોળ જવાબ આપ્યા હતા. વાલીની ફી કેવી રીતે માફ થશે તેનો કોઈ રસ્તો શિક્ષણ વિભાગ કે મંત્રી પાસે નથી. કોંગ્રેસના નેતાઓની પણ શાળાઓ છે તો સરકાર કેમ આવા નેતાઓને દબાણ નથી કરતી. ભાજપના નેતાઓની પોતાની પણ શાળાઓ છે તો સરકાર તેમની મદદ કેમ નથી લેતી. શિક્ષણ માફિયાઓ ધાર્યું કરે છે અને શિક્ષણમંત્રી હાઈકોર્ટના નામે ચર્ચાથી દૂર ભાગે છે.
સળગતા સવાલ
શિક્ષણમંત્રી ગેરમાર્ગે દોરે છે?
શું સરકાર ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે?
શિક્ષણમંત્રી વારંવાર કેમ શાળા સંચાલકોનો જ પક્ષ રાખી રહ્યા છે?
કેમ વાલીઓની મુશ્કેલીને ધ્યાનમાં નથી લેવાતી?
કેમ વિધાનસભાગૃહમાં અને ગૃહની બહાર અલગ અલગ વાત કરે છે?
શિક્ષણ માફિયાઓ શિક્ષણમંત્રીનો આદેશ પણ નથી માનતા?
શું શિક્ષણમંત્રી શાળા સંચાલકો સામે આકરા પગલા ભરવામાં નિષ્ફળ રહ્યા?
શું શિક્ષણમંત્રી કઠોર નિર્ણયો કરવાથી બચી રહ્યા છે?