સુરતઃ ગઇ કાલે સુરતના વેસુ વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ લાગી હતી. જે દરમિયાન ખાનગી ટ્યુશન ક્લાસમાં આગમાં એક વિદ્યાર્થીનુ મોત થયુ હતું. આ મામલે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેને પ્રતિક્રિયા આપી છે કે આ મામલે તપાસ કરીને જવાબદાર લોકો સામે પગલા લેવામાં આવશે.
સાથે જ તેમણે જણાવ્યુ કે આજથી સરકાર દ્વારા રાજ્યમાં 18 વર્ષ સુધીના બાળકો માટે આરોગ્ય તપાસના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનુ ભાવનગરમાં ઉદ્ઘાટન થયુ છે. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરી દવે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ બાળકો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.