વાત જાણે એમ છે કે,ગાંધીનગરમાં યોજાયેલી કાવ્યગાનની સ્પર્ધામાં ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીનો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કિર્તીદાન ગઢવી માટે ગીત ગાયુ
કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રી જીતુ વાઘાણી લોક ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીના જન્મ દિવસ ઉજવણી કરી હતી. અને કિર્તીદાન ગઢવી માટે જન્મ દિવસ શુભેચ્છા પાઠવતું ગીત બાર બાર યે દિન આયે ગીત તેમજ લીલી લેંબડી રે જેવા પ્રખ્યાત ગીતો ગાઈને કિર્તીદાન ગઢવીને શુભ કામનાઓ પાઠવી હતી.