શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે 9થી 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક વિકલ્પિક કેલેન્ડર લોન્ચ કરી દીધું છે. આ કેલેન્ડરમાં અઠવાડિયામાં આઠ અઠવાડિયામાં શેડયૂલ આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે 8 અઠવાડિયાનું વૈકલ્પિક અકેડેમિક કેલેન્ડર રજૂ કર્યું છે. આ કેલેન્ડરને સીનિયર સેકેન્ડરી વિદ્યાર્થીઓ માટે NCERT દ્વારા બનાવામાં આવ્યું છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે બધા શિક્ષકોને અપીલ કરી છે કે તેઓ ઘર પર સુરક્ષિત રહે અને વિદ્યાર્થીઓ ઘરેથી શિખવાડામાં મદદ કરે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે તેના માટે પોતાના મોબાઇલ ફોન, એસએમએસ, ટેલીવિઝન, રેડિયો અને તમામ સોશિયલ મીડિયા ટૂલ્સનો ઉપયોગ કરે.
NCERTનું સિલેબસ ફોલો કરનારા 9થી 12મી વચ્ચેના બધા વિદ્યાર્થીઓ માટે આ કેલેન્ડર લાગૂ પડશે. આ કેલેન્ડરનો ઉદ્દેશ્ય ઘરેથ ભણનારા વિદ્યાર્થીઓને ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો પ્રયોગ કરી શિક્ષણ આપવાનો છે. શિક્ષા મંત્રાલય તરફથી આ વૈકલ્પિક (અલ્ટરનેટિવ) કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું છે.
શું હશે મોડ ઓફ એજ્યુકેશન
અત્યારે ફિઝિકલ ટીચિંગને લઇને ન તો સ્કૂલો અને ન તો કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. બંનેમાં હાલ ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે અને તેને એક હાઇબ્રિડ મોડલનું અનુશાસન કરવું પડશે. સત્તાવાર નોટિસમાં, આરોગ્ય મંત્રાલયના કેમ્પસોમાં ભીડથી બચવા માટે સ્કૂલો અને કોલેજો બંનેને અકેડમિક કેલેન્ડરને સંશોધિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
લેબ ખોલવામાં આવશે
કોલેજોમાં પ્રયોગશાળાઓ ખુલી જશે. તાલીમાર્થી છ ફૂટના અંતરથી ઉપકરણનો ઉપયોગ કરી શકશે. તે સિવાય જિમનેજિયમ સીમિત ક્ષમતાઓ સાથે ખુલશે અને કોલેજો અને સ્કૂલોમાં સ્વિમિંગ પૂલ બંધ રહેશે. સ્કૂલો માટે સવારની અસેમ્બલીની મંજૂરી નહી આપવામાં આવે અને વિદ્યાર્થીઓ એકબીજા સાથે વસ્તુ શેર કરી શકશે નહીં.
કઇ સ્કૂલ અને કોલેજ ખૂલશે
જે સ્કૂલ અને કોલેજ કન્ટેનમેન્ટ ઝોનથી બહાર છે, તે સરકારની ગાઇડલાઇન મુજબ ખુલશે. પરિસરની અંદર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને રહેવાની મંજૂરી નહી.
કેવી રીતે ખુલશે સ્કૂલ
બધા પરિસરોને ફરીથી ખોલતા પહેલા તેને સંપૂર્ણ રીતે સેનેટાઇઝેશન કરવાનું રહેશે. ખાસ કરીને જે સ્કૂલો Covid માટે કેન્દ્ર બનવામાં આવ્યું હતું. તે પરિસરોને એક પ્રતિશત સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યૂસનવાળા પદાર્થથી સાફ કરવાનું રહેશે.