રાજ્ય સરકાર દ્વારા 10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી.
સરકાર પ્રવાસી શિક્ષકોની ભરતી કરી શિક્ષત લોકોની મજાક ઉડાવી રહી છે?
ગાંધીનગરમાં શિક્ષકોની ખાલી જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકની ભરતી સામે વિરોધ
પાંચ વર્ષથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી નથી થઈ
ગાંધીનગરમાં શિક્ષકોની ખાલી જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકની ભરતી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાયમી શિક્ષકોની જગ્યાએ પ્રવાસી શિક્ષકોથી સરકાર કામ ચલાવી રહી છે તેવો આરોપ ટેટ પાસ ઉમેદવારો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે 18000 જગ્યાઓ ખાલી હોવાં છતાં સરકારની ભરતી નહીં કરવાની નીતિ સામે રાજ્યમાં 1 લાખથી વધુ ટેટ પાસ ઉમેદવારો રોષ ઠાલવી રહ્યા છે. જેના લીધે બેરોજગાર પ્રવાસી શિક્ષકોએ વ્યથા ઠાલવી છે અને સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી જાહેરાત
ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા રાજ્ય સરકાર દ્વારા 10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦.૫૦ કરોડની જોગવાઈ કરવામા આવી હતી. મંત્રી જીતુ વઘાણીએ જાહેરાત વખતે ટ્વીટ કરી જણાવ્યું હતું કે કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે.
શું છે સરકારનો પરિપત્ર
ઉપર્યુક્ત વિષય પરત્વેના શિક્ષણ વિભાગના સંદર્ભ-1 ઠરાવથી રાજ્યની જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી રહેલ જગ્યાઓ નિયમિત રીતે ભરાય ત્યાં સુધી શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી તાસદી માનદ વેતનથી શિક્ષણકાર્ય કરાવવાની યોજના સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ છે જે અન્વધે શિક્ષણ વિભાગના સંદર્ભ-2 પત્રથી ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે તાકી માનદવેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણુંક આપવાની મંજૂરી આપેલ છે. જે અન્વયે આ કચેરીના સંદર્ભ ના પત્રથી આપેલ તમામ જિલ્લાઓને પ્રવાસી શિક્ષકો ભરવા અંગેના માંગણાપત્ર જ સુચના આપેલ હતી. જિલ્લાઓ તરફથી મળેલ માંગણાપત્રક ધ્યાને લેતા શિક્ષણ વિભાગ મંજૂર કરેલ ગ્રાન્ટની મર્યાદામાં સાથે સામેલ એનેક્ષર-૧ થી પ્રવાસી શિક્ષકોની ફાળવણીનિવામાં આવે છે જે કાળવેલ પ્રવાસી શિક્ષકોની મર્યાદામાં જિલ્લા શિણોલી જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી શાસનાધિકરી કે નીચે મુજબની સાથે શરતોને આધીન 1 માર્ચથી 31 માર્ચ સુધીમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂક જિલ્લા અધિકારીએ કરવાની રહેશે.