શિક્ષકોની બદલીને લઈ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, બે તબક્કામાં યોજાશે બદલી કેમ્પ
શિક્ષકોની બદલીને લઈ તારીખો જાહેર કરાઈ
પ્રથમ તબક્કો 20-10-2022એ યોજાશે
બીજો તબક્કો 23-11-2022એ યોજાશે
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર છે. શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. શિક્ષકોને બદલીને લઈ શિક્ષણ વિભાગે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં અરસ-પરસ બદલીમાં માટે કેમ્પ યોજાશે. દિવાળી પહેલા શિક્ષકોમાં હિતમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે.
શિક્ષકોને બદલી કેમ્પીની તારીખો જાહેર કરાઈ
દિવાળી પહેલા શિક્ષકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. શિક્ષકોને અરસ-પરસ અને જિલ્લા ફેર બદલી માટે કેમ્પનું આયોજન કરાયું છે જેમાં શિક્ષકોની અરસ-પરસ અને જિલ્લા ફેરબદલી માટે કમ્પની તારીખો જાહેર કરવામાં આવી છે. શિક્ષકોની બદલી માટે ઓનલાઈન બદલીનો પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં આમ બે તબક્કામાં યોજાશે. જેમા ઓનલાઈન બદલીનો પ્રથમ તબક્કો 20-10-2022એ યોજાશે અને ઓનલાઈન બદલીનો બીજો તબક્કો 23-11-2022એ યોજાશે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત
શિક્ષકોની બદલી કમ્પની તારીખોની જાહેરાત શિક્ષણ જીતુ વાઘાણી કરી હતી. તેમણે શિક્ષકોની જિલ્લા ફેર, અરસ-પરસ અને જિલ્લા આંતરીક બદલી કેમ્પીની તારીખોની જાહેરાત કરી હતી.
શિક્ષકોના હિતમાં નિર્ણયો
રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોનો 4200 ગ્રેડ પે મંજૂરની પણ અગાઉ જાહેરાત કરી છે. જે મુદ્દે ઘણા સમયથી શિક્ષકો 4200 ગ્રેડ પેને લઇને લડત ચલાવી રહ્યાં હતા. ત્યારબાદ અંતે સરકારે શિક્ષકોની તરફેણમાં હકારાત્મક નિર્ણય લેતા AMC શિક્ષક મંડળે સરકાર અને AMC સ્કૂલ બોર્ડનો આભાર હતો. તો બીજી અરસ પરસ બદલીને લઈ પણ શિક્ષકોની દિવાળી સુધરી ગઇ છે. કારણ કે રાજ્ય સરકારે દિવાળી પહેલા બદલી કેમ્પની તારીખો જાહેર કરી છે