ગાંધીનગરઃ ફી નિયમન મુદ્દે નિવેદન આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે હાલ તો તમામ વાલીઓએ શાળાઓ જે નક્કી કરે તે ફી ભરવી જ પડશે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 20 અને 21 માર્ચે સુનાવણી થઈ હતી. પરંતુ અંતિમ નિર્ણય તો આગામી 3 અને 4 એપ્રિલે જ આવશે.
ભુપેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 3 હજાર 54 શાળાઓનું ફી માળખું સ્વીકારવા એફિડેવિટ પણ મળી ચૂક્યા છે. જ્યારે 860 પ્રપોઝલ ફી વધારવા માટે મળ્યા છે.
મહત્વનું છે કે FRC ફી નક્કી નહીં કરે ત્યાં સુધી શાળા દ્વારા નક્કી કરવામાં આવેલી ફી જ આપવી પડશે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં 20-21 માર્ચના રોજ સુનાવણી કરવામાં આવી હતી.