ગાંધીનગરઃ બાળસંરક્ષણ આયોગની જાહેરાત બાદ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે બાળકોની બેગનો ભાગ અને ભાર પ્રમાણસર કરવામાં આવે. કારણ કે બાળકના વજનથી બેગનો વજન 10 ટકાથી વધારે ન હોય શકે. જેથી હવે બોર્ડ અને GCRTની માન્યતા પ્રાપ્ત સામગ્રી જ બેગમાં રાખી શકાશે. આ સિવાયનું વધારાનું સાહિત્ય બાળકોની બેગમાં રાખવામાં આવશે નહીં.
તો કોઈપણ શાળા મંજૂરી વગરના સાહિત્યનો ઉપયોગ કરી શકશે નહીં. ગૃહકાર્ય માટે પણ શાળાઓ સમય મર્યાદા નક્કી કરે. જો સમય ઓછો લાગતો હોય તો 30 મિનિટથી 1 કલાક સુધીનો સમય અલગથી નક્કી કરવામાં આવે. તમામ શાળાઓએ સરકારના આદેશનો ત્વરિત અમલ કરવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના એચ.આર.ડી મંત્રાલય દ્વારા બાળકો માટે ભાર વિનાના ભણતરની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં જે બેગ લઇને જાય છે. તેનું વજન ઓછુ હોવું જોઈએ અંગેની જાહેરાત કરવામાં આવી છે.