શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે કોઈ નવું ના કરે તો અમારે નહીં કરવાનું? જેને પરીક્ષા ના આપવી હોય એ ના આપે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજાવમાં આવી જેમાં આજે મળેલી બેઠક મુદ્દે શિક્ષણ મંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે શિક્ષકો શિક્ષણ સંઘના બંને સંઘ આમને સામને આવી ગયા છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણએ ફરજીયાત નથી, આ કસોટી મરજીયાત છે, જેમણે જણાવ્યું કે જે પણ કઈં વિગતો આપશે તેમને લઈ તટસ્થ તપાસ કરવામાં આવશે, બંને શિક્ષણ સંઘોને લઈને સાથે રાખીને બેઠકો યોજી અને બેઠકો યોજ્યા બાદ સર્વેક્ષણ કસોટી ફરજીયાતમાંથી મરજીયાત થઈ છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે મારા કોઈપણ નિર્ણયમાં બંને સંઘોની સહમતિ હોય છે, બાળકોના હિતમાં સરાકર નિર્ણય લઈ રહી છે,
સરકાર અને શિક્ષક સંઘ વચ્ચે છે વિવાદ
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મામલે ઉભી થયેલી ગેરસમજને લઈ અનેક અટકળો વહેતી થઈ છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં શિક્ષણ સંઘના આગેવાનોની એક બેઠક મળી હતી આ બેઠકમાં પરીક્ષા બોર્ડના અધ્યક્ષે પણ હાજરી આપી હતી. એક તરફ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયા હોવાનું સરકાર કહી રહી છે ત્યારે બીજી તરફ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ સામે શિક્ષક સંઘને વાંધો ઉઠાવ્યો છે.
સજ્જતા સર્વેક્ષણ સામે શિક્ષક સંઘને વાંધો
સમગ્ર મામલે અખિલ ભારતીય શિક્ષણ સંઘના રાષ્ટ્રીય સચિવ મોહનજી પુરોહિતએ કહ્યું હતું કે રાજ્યમાં મોટા પાયે નિયમ વિરુદ્ધ બદલી કરવામાં આવી રહી છે પાટણમાં નિયમ એક ડઝનથી વધારે બદલી કરાઈ છે, ત્યારે શિક્ષણમાં સુધારાના નારા સાથે આંદોલન કરવામાં આવશે, તેમણે જણાવ્યું કે શિક્ષક સર્વેક્ષણ સજજ્જતા મામલે આજે પ્રાથમિક શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કમાન્ડ અને કંટ્રોલ રૂમ ખાતે બેઠક યોજાઈ હતી.જેમાં શિક્ષણમંત્રી પણ હાજર રહ્યા હતા.
શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી વિરુદ્ધ આંદોલન
અખિલ ભારતીય શિક્ષણ સંઘના રાષ્ટ્રીય સચિવ મોહનજી પુરોહિતે કહ્યું કે વિષય મામલે રજૂઆત કર્યા બાદ પણ શિક્ષણ મંત્રી કશુ કરી રહ્યા નથી ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવામા આવી રહ્યો છે. ગુજરાતને કંલકિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે જો આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા નહી કરવામાં આવે તો આગામી સમયમાં શિક્ષકોની આંદોલલ ચલાવી મોટી લડત આપી શકે છે તેવું વર્તાઈ રહ્યું છે. મહત્વનું છે કે પરીક્ષાને લઈને બે સંઘના શિક્ષકો આમને સામેને આવી ગયો છે ત્યારે અખિલ ભારતીય શિક્ષણ સંઘે તો શિક્ષકોના આંદોલનને લઈને એલાન પણ કરી દીધું છે.
શિક્ષક સજ્જતા સર્વેક્ષણશિક્ષણ વિભાગ અને શિક્ષકો માટે પ્રતિષ્ઠાનો સવાલ તો અખિલ ભારતીય શિક્ષણ સંઘના પ્રમુખની પરીક્ષા રદ કરવા માગ કરી છે. જો શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી રદ કરવામાં નહી આવે તો શિક્ષણ સંઘના પ્રમુખ મોહનજી પુરોહિતે આંદોલન કરવાનું એલાન કરી દીધું છે. મોહનજી પુરોહિતે કહ્યું કે પરીક્ષા રદ કરવાની માગ સાથે ઉગ્ર આંદોલન કરાશે તેમણે શિક્ષણમંત્રી મનમાની કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો, તેમણે કહ્યું કે આવતી કાલે શિક્ષણ સુધારાના નારા સાથે આંદોલન ચવાવાશે અને શિક્ષકો ધિક્કાર દિવસ મનાવશે. મોહનજી પુરોહિતે શિક્ષક સજ્જતા કસોટીને શિક્ષકોના અપમાન સમાન ગણાવી હતી.
શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો શિક્ષકો કર્યો છે બહિષ્કાર
આમ શિક્ષક સર્વેક્ષણ એ શિક્ષણ વિભાગ અને શિક્ષકો માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ સર્વેક્ષણ કરાવવાની તૈયારીમાં લાગી છે જ્યારે શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર માટે લડત આપવામાં આવી રહી છે જેને પરિણામે શિક્ષકોએ સ્વયં બહિષ્કાર માટે પ્રતિજ્ઞા પત્ર તૈયાર કર્યા છે. સોશિયલ મીડિયામાં ફરતા પ્રતિજ્ઞા પત્રમાં કરાયેલા ઉલ્લેખ મુજબ શિક્ષકોની કામગીરી આવડત હોશિયારી ખંત ઈમાનદારી ઉપર શંકા ઉપજાવનારી પરીક્ષાનો સામૂહિક બહિષ્કાર કરીએ છીએ. અમો આ પરીક્ષા નહિ આપવાનો સંકલ્પ કરીએ છીએ. તે દિવસે અમો કોઈપણ જાતના દબાણને વશ થયા વગર પરીક્ષા ન આપવાની અમો પ્રતિજ્ઞા લઈએ છીએ. તેવો ઉલ્લેખ પ્રતિજ્ઞા પત્રમાં જોવા મળી રહ્યો છે.