ઓનલાઈન શિક્ષણ આપવા મામલે સરકાર એક્શનમાં, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું, ખાનગી શાળાઓ સામે સરકાર નહીં ઝૂકે, સરકાર DD ગિરનાર પર ઑનલાઈન શિક્ષણ આપી જ રહી છે અને જલદીથી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થા કરાશે.
ઓનલાઇન શિક્ષણ બંધ થતા અમદાવાદના વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે. ઓનલાઇન શિક્ષણ બંધ થતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે. ઓનલાઇન શિક્ષણ બંધ કરતી શાળાઓએ સામે સરકાર પગલા લે તેવી માંગણી વાલીઓમાંથી ઉઠી હતી જેના બદલામાં સરકારે આજે જવાબ રજૂ કર્યો હતો.
ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાના 24 કલાકમાં સરકાર એક્શનમાં આવી ગઈ છે. શિક્ષણમંત્રીએ મૌન તોડી આપ્યું મોટું નિવેદન આપ્યું હતુ. ખાનગી શાળાઓના બદલે રાજ્ય સરકાર આપશે ઓનલાઈન શિક્ષણ આપશે તેવી જાહેરાત કરી હતી. હાલ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ચાલુ જ છે ત્યારે હવે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપવામાં આવશે.
લોકડાઉનથી અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ માટે સરકાર સક્રિય છે. વંદે ગુજરાત, બાયસેક, ડી. ડી . ગીરનાર, યુ ટુબ પર ઓન લાઈન શિક્ષણની વ્યવસ્થા કાર્યરત છે જ. 3 થી 12ના વિદ્યાર્થીઓ સહિત JEET ,નીટ અને ગુજકેટના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની સુવિધા ઉપલબ્ધ છે. અન્ય વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ રહ્યા છે.
શું લીધો હતો સરકારે નિર્ણય
કોરોના મહામારીમાં શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વાલીઓને રાજ્ય સરકાર તરફથી ફી મામલે મોટી રાહત અપાઈ છે. હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ બાદ શિક્ષણ વિભાગે સૂચના આપી છે કે જ્યાં સુધી સ્કૂલો ન ખુલે ત્યાં સુધી કોઈ શાળા ફી ભરવા માટે દબાણ નહીં કરી શકે. આ સાથે જ વધુમાં જણાવ્યું હતું કે, જો સ્કૂલ સંચાલકો તરફથી ફી માટે દબાણ કરવામાં આવશે તો તેની સામે DEOએ કડક પગલા ભરવાના રહેશે. હાઈકોર્ટના આ આદેશથી વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે.