સર્વ સામાન્ય નિયમ છે કે મોટાભાગે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરવાવા પ્રાધાન્ય આપતા હોય છે.પરંતુ ગીર સોમનાથ માં સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષણ અને સુવિધાએ વાલી ઓને આકર્ષ્યા છે સરકારી શાળાઓ ના શિક્ષણ મા આવ્યું જબરજસ્ત પરિણામ ગીર સોમનાથ મા ખાનગી શાળા છોડી સરકારી શાળામાં 2325 બાળકો જોડાયા.
એક સમય હતો અને ક્રેઝ કે સરકારી શાળા માં નહીં પરંતુ ખાનગી શાળા મા બાળકો ને અભ્યાસ કરાવવો સરકારી શાળા માંથી બાળકો ના એડમિશન કેન્સલ કરી વાલીઓ ખાનગી શાળામાં પોતાના બાળકો ને અભ્યાસ કરાવતા જેને લય ખાનગી શાળાઓ ની સંખ્યામાં ધરખમ વધારો થતો ગયો.
સરકારી શાળાઓ ખાલી થવા લાગી પરંતુ ગુજરાત શિક્ષણમા ધરખમ પરિવર્તન આવ્યું અને સરકારી શાળાઓનો ભૂતકાળ પાછો ફર્યો ગીર સોમનાથ જિલ્લા ના 6 તાલુકાઓ મા 2325 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો પ્રાઇવેટ શાળા છોડી સરકારી શાળામાં એડમિશન લીધા.
શું કારણ છે સરકારી શાળા મા એડમિશન કરવા પાછળ ખાનગી શાળા નો મોહ ધીમે ધીમે ઉતરી રહ્યો છે બાળકો ના વાલીઓ હવે સરકારી શાળાઓ મા બાળકોને એડમિશન આપવાનું નક્કી કર્યું છે જેના કારણે ખાનગી શાળાઓ ની કમર તૂટી છે.
ઉલ્લેખનીય છે કે, બાળકો ના વાલીઓ નું કહેવું છે કે હવે સરકારી શાળાઓમાં ખાનગી શાળા કરતા ખાનગી શાળા મા જે બાળકો અભ્યાસ કરે તેને માર્ક સારા આપી દેખાવો થઈ રહ્યા છે ખરેખર અમે ઘરે બાળક ની ગુણવતા ચેક કરી ત્યારે ખબર પડે છે કે, આપડો બાળક હજુ ડબ્બો જ છે બસ માર્ક સીટ સારી છે ખાનગી શાળા ની લીલા હવે બાળકો ના વાલીઓ જાણી ગયા છે એટલે હવે સરકારી શાળાઓ મા બાળકો ના વાલીઓ ની એડમિશન માટે લાઈનો લાગી છે.