રાજ્યમાં દિવસે દિવસે શિક્ષણના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં શિક્ષણના પ્રમાણમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યની શાળાઓ પર નજર રાખવામાં આવશે.
રાજ્યની 32 હજાર 750 સ્કૂલો પર વિજય રૂપાણી દ્વારા નજર રાખવામાં આવશે. જેના માટે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને CM ડેસ્ક અને બોર્ડ સાથે જોડાવામાં આવશે. જેમાં 2 લાખ શિક્ષકોની દરરોજ ઓનલાઈન હાજરી પણ લેવામાં આવશે.
આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં 3500 CRC અને BRC શિક્ષકોને ટેબ્લેટ પણ આપવામાં આવશે. આ ટેબ્લેટના માધ્યમથી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ ડે ટુ ડે રિપોર્ટ મેળવી શકાશે.
ટેબ્લેટને GPS, BRC અને CRC શિક્ષકને ટ્રેક પણ કરી શકાશે. સાથે જ શૈક્ષણિક પ્રવૃત્તિમાં બેદરકારી દર્શવનાર સ્કૂલ અને શિક્ષક સામે કાર્યવાહી પણ કરાશે. આ ઉપરાંત સ્કૂલમાં ખોટી રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે પણ કાર્યવાહી કરાશે અને ગુણોત્સવ, પ્રવેશોત્સવ, સ્કૂલગ્રાન્ટ, ગ્રાન્ટના વપરશનું પણ મોનિટરીંગ કરાશે.