આગામી વિધાસહાયક ભરતીમાં વિધવા બહેનો માટે સરકાર દ્વારા નિર્ણય લઇ મેરીટમાં 5 ટકા લાભ આપવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનો માટે નિર્ણય
મેરીટમાં 5 ટકા લાભ આપવાનો નિર્ણય
વિદ્યાસહાયક ભરતીને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનો માટે મેરીટમાં 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી સતાવાર માહિતી આપી છે.
મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી માહિતી
TET - 1 , TET - 2 પાસ વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના ૫ ટકા ગુણ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના ૫૦ ટકા અને શૈક્ષણિક લાયકાતના મેળવેલ ગુણના ૫૦ ટકા ને ધ્યાને લઈ વિધાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ કુલ મેરીટમાં વિધવા ઉમેદવારને વધારાના ૫ ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે. તેમ જણાવાયું છે. વિધવા બહેનોને પણ નોકરીની તક મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી વિધાસહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે. તેમ જાહેરાતમાં જણાવ્યું છે.