અમદાવાદ શહેરના પીરાણા રોડ પર આવેલા પસ્તીવાળાના એક ગોડાઉનમાં બોર્ડની માર્કશીટ મળી આવતાં સરકારી તંત્ર પર સવાલ ઉઠી રહ્યાં છે. બોર્ડની માર્કશીટ કોણ ફેંકી ગયું ? શા માટે પેપરનો નાશ ન કરાયો ? પરીક્ષાના પરિણામ બાદ પેપર નાશ કરવાનો હોય છે તે કોણ ભુલી ગયું ? જવાબવહી કોણે કચરામાં નાંખી ? પેપરવહીનો દુરપયોગ થાય તો તેની જવાબદારી કોણ લેશે?
અમદાવાદમાં શિક્ષણ વિભાગની મોટી બેદરકારી આવી સામે
બોર્ડની અગત્યની માર્કશીટો મળી પસ્તીના ગોડાઉનમાંથી
પીરાણાના ગોડાઉનમાંથી મળી ધોરણ 10 અને 12ની માર્કશીટ
શરેહના એક પેપરની પસ્તીવાળાના ગોડાઉનમાંથી સરકારી દસ્તાવેજો મળી આવતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હોવાનું જોવા મળી રહ્યું છે. જેમાં GTU, ગુજરાત બોર્ડના પરીક્ષાને લાગતું સાહિત્ય કેવી રીતે આવ્યું ? શું આ ગંભીર બેદરકારી નથી ? શું પસ્તીના નામે પૈસા કમાવવાનું કામ થઇ ગયું ? શા માટે પેપરનો નાશ ન કરાયો ?
અમદાવાદમાં શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. બોર્ડની અગત્યની માર્કશીટો પસ્તીના ગોડાઉનમાંથી મળી આવી છે. પીરાણાના ગોડાઉનમાંથી ધોરણ 10 અને 12ની માર્કશીટ મળી આવી છે. આ સાથે જ વિદ્યાર્થીઓના દસ્તાવેજ, કોપી કેસને લગતાં દસ્તાવેજો પણ મળી આવ્યાછે.
આ માર્કશીટો રાજકોટ અને પોરબંદરની હોવાનું સામે આવ્યું છે. દસ્તાવેજોને નાશ કરવાના સ્થાને પસ્તીમાં મોકલવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે. પસ્તીમાંથી મળી આવેલું સાહિત્ય GTU, ગુજરાત બોર્ડની પરીક્ષાને લગતું છે. જેમાં OMR સીટ, માર્કશીટ, રીસિપ્ટ અને પુરવણી સહિતની સામગ્રીઓ મળી આવી છે. જેના કારણે શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.