સ્થાનિક ચૂંટણી અને વિધાનસભાની ચુંટણી પહેલા સળવળાટ, મહિનાથી શરૂઆતથી મતદારયાદી સુધારણાના કાર્યક્રમ ચાલુ, હવે 4 દિવસ મેગા અભિયાન
મતદાર યાદીમાં સુધારણા કરવા સ્કૂલે રખાશે ખુલ્લી
DEO કચેરી દ્વારા અપાઇ સૂચના
4 દિવસ સ્કૂલો ખુલ્લી રાખવા આદેશ
સ્થાનિક ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીને દયાને રાખી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ એડ,નામ કમી, એડ્રેસ બદલવા માંગતા હોય તો મતદારો સુધારો કરી શકશે. કાલે મળેલી બેઠકના નિર્ણય પ્રમાણે 14,21,27 અને 28 નવેમ્બરના રોજ સુધારણા યાદીનું મહાભિયાન ચાલશે. જે લઈ શિક્ષણ વિભાગે સંબંધિત સ્કૂલોને આદેશ પારિત કર્યા છે.
મતદાર યાદી સુધારણા માટે સ્કૂલો ખુલ્લી રાખવા આદેશ
કોરોના કાળ અને દિવાળી વેકેશનને લઈ રાજ્યની તમામ સ્કૂલો હાલ બંધ છે ત્યારે મતદાર યાદી સુધારણાનો લાભ લોકો વધુ ઝડપથી અને સરળ રીતે લઈ શકે તે માટે શિક્ષણ વિભાગે દર વખતની જેમ આ વખતે પણ સ્કૂલો ખુલ્લી રાખવા આદેશ કર્યો છે. 14,21,27 અને 28 નવેમ્બરના સ્કૂલ ચાલુ રહેશે જેમાં સ્કૂલોમાં ફળવાયેલા બૂથો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થશે. સ્કૂલોના બૂથ પર હક,દાવાઓ અને વાંધા અરજી સ્વીકારાશે તેવી સૂચના પણ DEO કચેરી દ્વારા સંબંધિત સ્કૂલો અપાઈ છે.
શુક્રવારે ચૂંટણી અધિકારીઓની મળી હતી બેઠક
યુવા મતદારો 1 જાન્યુઆરી 2022ના 18 વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તો મતદાર તરીકે નામ નોંધણી કરી શકશે. એડ્રેસ બદલવું હોય તો પણ બદલાવી શકાશે અને ઓળખપત્ર કોઈ ભૂલ હોય તો પણ સુધારો કરવી શકાશે. આ સુધારા માટે 14,21,27 અને 28 નવેમ્બરના ખાસ ઝુંબેશ રાખવામા આવી છે. જે મતદાર યાદી જે વિસ્તારમાં મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરી મતદાર યાદીમાં નામ એડ અથવા તો કોઈ સુધારો કરવાનો હશે તો કરી શકશે.મુખ્ય નિર્વાચન અધિકારી અને nccના સંયુકત ઉપક્રમે યુવા મતદાર નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં મુખ્ય નિર્વાચન અધિકારી આર કે પટેલ અને nccના અડીશનલ જનરલ અરવિંદ કપૂર અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધી કાલે મળેલી બેઠકમાં હાજર રહ્યા હતા.