આવતી કાલે આંબેડકર જયંતિને લઈને રાજ્ય સરકારે એક અનોખો પરિપત્ર જાહેર કર્યો છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા આ પરિપત્રમાં શાળાને ચાલુ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આ પરિપત્ર મુજબ શાળામાં ગ્રામ સ્વરાજ અંતર્ગત સામાજિક સમરસતાની ઉજવણી કરવામાં આવશે. પરિપત્રમાં શાળાને નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવાની ભલામણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે લોકો અને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની જાગૃતિ લાવવા તેમજ તેની ટેવ વિકસે સ્વયં શિસ્ત ઊભી થાય સારૂં સ્વાસ્થ્ય મેળવે અને તે સાથે સમાજમાં સામાજિક સમરસતા ઊભી થાય તેવાં કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
સામાજિક સમરસતા સપ્તાહ દરમ્યાન યોજાનારા કાર્યક્રમોમાં શાળા સફાઇ નકામો કચરો અને ડેડસ્ટોક દૂર કરવામાં આવશે તેમજ શાળામાં નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા ડિબેટ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવશે. જેમાં આ મુદ્દે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે.