અધિકારીઓએ સૂત્રોને જણાવ્યા અનુસાર દાઉદ ઇબ્રાહિમ ના સાથી ઇકબાલ મિર્ચી ની લગભગ 1000 કરોડ જેટલા મૂલ્યની 30 થી વધુ સંપત્તિઓ ની ઓળખાણ થઈ ચૂકી છે. તપાસ એજન્સી આ માટે પ્રથમ દિવસથી જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
દાઉદના સાથીની 200 કરોડની સંપત્તિ જપ્ત
ઇકબાલ મિર્ચીની દુબઈની સંપત્તિ જપ્ત કરી
લંડન, દુબઈ અને મુંબઇમાં પણ છે સંપત્તિઓ
અન્ડરવર્લ્ડ સામેની મોટી કાર્યવાહીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ મંગળવારે દાઉદ ઇબ્રાહિમ કાસકરના સાથી ઇકબાલ મિર્ચી ની મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં 200 કરોડની સંપત્તિને જપ્ત કરી છે. ED ના વરિષ્ઠ અધિકારી એ કહ્યું હતું કે ઇકબાલ મિર્ચી ના પરિવારની 15 જેટલી સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. જેમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ આવતા 200 કરોડ રૂપિયાની સંપત્તિનો સમાવેશ થાય છે.
આ કેસ મુંબઈ માં ઇકબાલ મિર્ચી ની સંપત્તિ સાથે સંબંધિત છે, અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ લંડન, દુબઈ અને મુંબઇ માં મિર્ચીની રૂ. 1000 કરોડ જેટલી કિમતની 30 સંપત્તિની ઓળખ કરી લીધી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં ED એ 600 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
સીબી હાઉસ, સાહિલ બંગલો, રબિયા મેન્શન, મરિયમ લોજ અને સી વ્યુ ખાતે મુંબઈ ના પ્રાઈમ સ્થળો ગેરકાયદેસર લેવડ દેવડ કરવા બદલ ઇકબાલ મિર્ચી , તેના પરિવારના સભ્યો અને અન્ય લોકો સામે ગુન્હો નોંધાયો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં ED એ 600 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
મિલકતોમાં કમર્શિયલ બિલ્ડિંગ્સ શામેલ છે - મુંબઇ ના તારદિયો વિસ્તારમાં વર્લી અને અરુણ ચેમ્બર્સ સ્થિત સીજે હાઉસ, જેની કિંમત
76 કરોડ રૂપિયા છે.
આ કેસમાં પ્રફુલ્લ પટેલ, શિલ્પા-રાજ કુંદ્રાની પણ પૂછપરછ કરવામાં આવી હતી
તેમાં સાહિલ બંગલો, રબિયા મેન્શન, મરિયમ લોજ અને વર્લીમાં પ્રાઈમ લોકેશન્સ પર સી વ્યૂ અને ક્રોફોર્ડ માર્કેટની ત્રણ વેપારી દુકાન અને લોનાવાલામાં પાંચ એકર સહિત રૂ. 500 કરોડની સંપત્તિઓનો પણ સમાવેશ થાય છે.
ED એ આ કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને NCP નેતા પ્રફુલ્લ પટેલ, બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને અન્ય ઘણા લોકોની પૂછપરછ કરી છે.