છેલ્લા કેટલાક સમયથી પામ ઓઈલ (Palm Oil) સહિતના ખાદ્યતેલોના ભાવ (Edible Oil Price)માં ભારે ઉછાળો આવતા હવે આ મુદ્દો કેન્દ્ર સરકારના ધ્યાનમાં આવ્યો છે.
તેલીબિયાં પાકોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયું નવું મિશન
ક્રૂડ પામ ઓઇલની આયાત પર ખૂબ નિર્ભર છે ભારત
વિશ્વભરમાં 80 મિલિયન ટનથી વધુ પામ ઓઈલનું ઉત્પાદન
ખાદ્યતેલોની આ કિંમતો ઘટાડવા માટે, સરકારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ખાદ્ય તેલની આયાત (Edible Oil Imports)પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવા માટે પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત સરકારે તેલીબિયાં પાકોને પ્રોત્સાહન આપવા માટે એક નવું મિશન (NME-OS) શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
તેલીબિયાં પાકોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયું નવું મિશન
વાસ્તવમાં ખાદ્યતેલના આંતરરાષ્ટ્રીય ભાવ સ્થાનિક ભાવ પર પણ અસર કરે છે, તેથી સરકારે બજાર તેમજ ખેડૂતોને ધ્યાનમાં રાખીને બજેટમાં ખાસ જોગવાઈ કરી છે. આનો ઉલ્લેખ બજેટ 2022 હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને આપવામાં આવેલી અનુદાનમાં કરવામાં આવ્યો છે. સરકારે લક્ષ્યાંક હેઠળ ખાદ્ય તેલ (તેલીબિયાં)ના સંદર્ભમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા તેલીબિયાં પાક માટે નવું મિશન NME-OS શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેના દ્વારા સરકાર આગામી પાંચ વર્ષમાં 50 મિલિયન ટન તેલીબિયાંની ઉપજ સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. આ મિશન તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આનાથી બજારમાં ઝડપથી વધતા ખાદ્યતેલના ભાવો તો ઘટશે જ, પરંતુ તેલીબિયાં પાકને પ્રોત્સાહન આપવાથી દેશના ખેડૂતોને પણ ફાયદો થશે.
ક્રૂડ પામ ઓઇલની આયાત પર ખૂબ નિર્ભર છે ભારત
પામ ઓઈલ વિશે વાત કરીએ તો, હાલમાં તેલીબિયાં અને પામ તેલને પ્રોત્સાહન આપવાની યોજના NFSM દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. એવી દરખાસ્ત છે કે આ પ્રવૃત્તિઓને બે નવી યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવશે, કારણ કે ભારત ક્રૂડ પામ ઓઇલની આયાત પર ખૂબ નિર્ભર છે. તેથી આંતરરાષ્ટ્રીય ભાવ સ્થાનિક ભાવોને પ્રભાવિત કરે છે. આ યોજના દ્વારા ખેડૂતોને ભાવની વધ-ઘટથી બચાવવા માટે આ યોજનાના માધ્યમથી એક નવા તંત્રની દરખાસ્ત કરવામાં આવી છે, જેથી પામ ઓઇલના વાવેતર માટે ખેડૂતોમાં આત્મવિશ્વાસ જગાડવા માટે વળતરની ખાતરી કરી શકાય. પામ ઓઇલના વાવેતરને આકર્ષક બનાવવા NVS ની વિશેષ સહાય સાથે અગાઉની યોજના હેઠળ સહાય માટેના માપદંડો પર ફરીથી વિચાર કરવામાં આવશે.
વિશ્વભરમાં 80 મિલિયન ટનથી વધુ પામ ઓઈલનું ઉત્પાદન
જણાવ્યા અનુસાર પામ ઓઈલ એક વનસ્પતિ તેલ છે, જેનો વિશ્વમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ ખાદ્ય ઓઈલ ની જેમ પામ ઓઈલ નો ઉપયોગ થાય છે. તે ઉપરાંત, પામ ઓઈલનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં અને નહાવાના સાબુ બનાવવા માટે પણ થાય છે. હાલમાં, વિશ્વભરમાં 80 મિલિયન ટનથી વધુ પામ ઓઈલનું ઉત્પાદન થાય છે. ખાદ્ય તેલના કિસ્સામાં, ભારતની આયાતમાં એકલા પામ ઓઇલનો હિસ્સો બે તૃતીયાંશ છે. ભારત વાર્ષિક 9 મિલિયન ટનથી વધુ પામ ઓઈલની આયાત કરે છે.