કેન્દ્ર સરકારનો દાવો છે કે માત્ર પેટ્રોલ ડીઝલ જ નહીં પણ ખાવાના તેલની કિંમતોમાં પણ ધીમે ધીમે કરીને ખૂબ ઘટાડો થઈ ગયો છે.
કેન્દ્ર સરકારનો મોટો દાવો
માત્ર પેટ્રોલ ડીઝલ જ નહીં ખાદ્ય તેલમાં પણ મળી રાહત
ખાદ્ય તેલની કિંમતોમાં 20 રૂપિયા સુધીનો ઘટાડો થયો હોવાનો દાવો
કેન્દ્ર સરકારનાં ખાદ્ય વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે ખાદ્ય તેલની કિંમતમાં મોટો કડાકો જોવા મળ્યો છે. તેમણે શુક્રવારે કહ્યું કે દેશમાં અલગ અલગ સ્થાનો પર 20, 18, 10 અને સાત રૂપિયા સુધી કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. સીંગતેલ, સોયાબીન, સૂર્યમુખીનાં તેલની કિંમતો ઘટી ગઈ છે.
ગરીબ કલ્યાણ યોજના હેઠળ ફ્રી રૅશનની યોજના આગળ નહીં વધે
પાંડેએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ મફત રૅશનની સ્કીમને આગળ લંબાવવા મુદ્દે હાલ કોઈ જ વિચાર કરવામાં આવી રહ્યો નથી આવો અને પ્રસ્તાવ નથી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આગામી 30 નવેમ્બર સુધીમાં લોકોને મફતમાં અનાજ આપવામાં આવશે. તેમણે કહ્યું કે હવે દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે જેથી આ યોજના લંબાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો નથી.
The economy is now reviving. As of now, there is no proposal to extend Pradhan Mantri Garib Kalyan Yojana (PMGKY) beyond November 30: Sudhanshu Pandey, Secretary of the Department of Food and Public Distribution pic.twitter.com/yab1D7UAX5
પેટ્રોલ ડીઝલ પર અપાઈ હતી રાહત
નોંધનીય છે કે દિવાળીની પૂર્વ સંધ્યાએ જ કેન્દ્ર સરકારે દેશના લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ ઓછો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની મોટી જાહેરાત બાદ દેશના જુદા જુદા રાજ્યો પણ આગળ આવ્યા અને એક બાદ એક ઘણા બધા રાજ્યોએ રાહત આપવાની જાહેરાત કરી હતી. ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યો દ્વારા વેટ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે.
એક ઝાટકે ઘટયા પેટ્રોલ અને ડિઝલના ભાવ
મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનું એલાન કર્યું જે બાદ જુદા જુદા રાજ્યો પણ આગળ આવ્યા જેમા ગુજરાત પણ સામેલ છે. આમ કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારો દ્વારા રાહતના એલાન બાદ ગુજરાતમાં ડિઝલના ભાવ 17 જ્યારે પેટ્રોલના ભાવ 12 રૂપિયા એક ઝાટકે ઓછા થયા છે. એક રિપોર્ટ અનુસાર ટેક્સ ઘટવાના કારણે કેન્દ્ર સરકારને અત્યારે જ 45 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થવા જઈ રહ્યું છે. જાપાની બ્રોકરેઝ કંપની નોમુરો અનુસાર સરકારનાં આ નિર્ણયથી સરકારની તિજોરી પર નાણાકીય વર્ષમાં જ એક લાખ કરોડ રૂપિયાની અસર પડશે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના વધેલા મહિનામાં જ 45 હજાર કરોડ રૂપિયાની અસર થશે.
ભારતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયો છે અને લગભગ રોજ 35 પૈસા મોંઘુ થઈ રહ્યું છે. 4 ઓક્ટોબર 2021થી 25 ઓક્ટોબર સુધી પેટ્રોલની એવરેજ કિંમત 8 રૂપિયા વધ્યું છે. પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરતા પેટ્રોલમાં 5 રુપિયા અને ડીઝલમાં 10 રુપિયા સસ્તું થયું છે. તો આ સાથે ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. જેને લઇને ગુજરાતની જતાને મોટી રાહત મળી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેના નિર્ણય બાદ ગુજરાતમાં સરેરાશ પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તુ થયું છે. મહત્વનું છે કે ગુજરાત સહિત બિહાર, આસામ અને ત્રિપુરા સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. તો આ સિવાયના અન્ય રાજ્યો પણ ટુંક સમયમાં વેટમાં ઘટાડો કરશે. જેને લઇને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થશે. દિવાળીની પૂર્વસંધ્યાએ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ગુરુવારથી ક્રમશ 5 રુપિયા અને 10 રુપિયા ઘટી જશે. પેટ્રોલની તુલનામાં ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો બમણો હશે. તો ગુજરાત સરકારે વેટમાં કરેલા ઘટાડાના કારણે આગામી રવિ સિઝનમાં ખેડૂતોને મોટો ફાયદો થશે.