આગામી સમયમાં દેશમાં તહેવારોની સિઝન આવી રહી છે અને તે પહેલા તેલના ભાવના મુદ્દે જનતાને રાહત મળવાની પૂરી સંભાવના છે.
કેન્દ્રીય ઉપભોક્તા મંત્રાલય અને તેલ ઉત્પાદક કંપનીઓ વચ્ચે બેઠક યોજાઈ
તેલ ઉત્પાદક કંપનીઓ તેલના ભાવ ઘટાડવા સંમત
આગામી દિવસોમાં તેલના ભાવમાં ઘટાડો આવી શકે
તહેવારોની સિઝનમાં સૌથી વધુ વપરાતા ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો આવવાની સંભાવના છે. મોંઘવારીથી પીડાતા લોકોને આગામી દિવસોમાં થોડી રાહત મળવાની છે.
ખાદ્ય મંત્રાલય અને તેલ પ્રોસેસર્સ ઉત્પાદકો વચ્ચે બેઠક
ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલય સાથેની બેઠક બાદ ખાદ્ય તેલના પ્રોસેસર્સ અને ઉત્પાદકો તેલના ભાવમાં ઘટાડો કરવા સંમત થયા છે. વિદેશી બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડા બાદ સ્થાનિક ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર કોશિશ કરી રહી છે કે ઘટેલી કિંમતોથી ઘરેલુ ગ્રાહકોને પણ ફાયદો થાય
10થી 12 રૂપિયા થઈ શકે છે સસ્તા
વૈશ્વિક બજારમાં ભાવમાં નરમાઇ બાદ ઓઇલ કંપનીઓ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરવા સંમત થઇ છે. આગામી દિવસોમાં ખાદ્યતેલના છૂટક ભાવમાં રૂ. 10-12 રુપિયાનો ઘટાડો થઈ શકે છે. જો કે ગયા મહિને પણ તેલ ઉત્પાદકોએ કિંમતોમાં ઘટાડો કર્યો હતો. પરંતુ મંત્રાલયનું માનવું છે કે વૈશ્વિક કિંમતોમાં ઘટાડા બાદ હજુ પણ ભાવ ઘટાડાને અવકાશ છે.નામ ન આપવાની શરતે એક અધિકારીએ એવું જણાવ્યું કે ખાદ્ય તેલ ઉત્પાદકો કંપનીઓએ ખાદ્ય તેલના ભાવમાં લીટરે 10 થી 12 રુપિયાનો ઘટાડો કરવાની તૈયારી દર્શાવી છે અમારી તેમની સાથેની મુલાકાત ઘણી સારી રહી છે.