દેશમાં 20 રૂપિયા સુધી ખાદ્ય તેલ સસ્તુ થયું છે, ગત મહિના કરતા આ મહિને ગ્રૃહિણીઓ રાહત અનુભવી રહી છે. ત્યારે જાણો હવે શું છે નવો ભાવ
સરસવના તેલનો ભાવ પણ થયો ઓછો
ઓક્ટોબરની તુલનાએ ખાદ્યતેલના ભાવ ઘટ્યા
સરકારે સ્ટૉક કરવા પર લગાવી રાખી છે રોક
કેન્દ્ર સરકારે કહ્યું કે, દેશભરમાં ખાદ્યતેલોની રિટેઇલ પ્રાઇઝ વૈશ્વિક માર્કેટના મુકાબલે એક વર્ષની તુલનામાં ઉંચી છે, પરંતુ ઓક્ટોબર, 2021 બાદ આમાં ઘટાડો થયો છે. 167 વેલ્યૂ કલેક્શન સેન્ટર્સના અંદાજ અનુસાર, દેશભરની મુખ્ય છૂટક બજારોમાં ખાદ્ય તેલોની કિંમતોમાં 5-20 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ભારે ઘટાડો આવ્યો છે.
આંકડાઓમાં દર્શાવાયું છે કે 1 ઓક્ટોબર, 2021ના ભાવની તુલનામાં મગફળ અને સરસવના તેલની કિંમતોમાં 1.50-3 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો આવ્યો છે, જ્યારે સોયા અને સૂરજમુખીના તેલના ભાવ હવે 7-8 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નીચે આવી ચૂક્યા છે.
મંત્રાલયના અનુસાર, અદાણી વિલ્મર અને રૂચિ ઇન્ડસ્ટ્રીઝ સહિત મુખ્ય ખાદ્ય તેલ કંપનીઓની કિંમતોમાં 15-20 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. તો જેમિની એડિબલ્સ એન્ડ ફેટ્સ ઇન્ડિયા, હૈદરાબાદ, મોદી નેચરલ્સ, દિલ્હી, ગોકુલ રી-ફૉયલ એન્ડ સોલ્વેન્ટ, વિજય સોલ્વેક્સ, ગોકુલ એગ્રો રિસોર્સિઝ અને એન કે પ્રોટિન્સ છે.
કેવી રીતે ઓછા થયા ખાદ્ય તેલોના ભાવ?
મંત્રાલય તરફથી કહેવાયું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમત વધુ હોવા છતા કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોની સક્રિય ભાગીદારીમાં હસ્તક્ષેપથી ખાદ્ય તેલોની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. ખાદ્ય તેલના ભાવ એક વર્ષ પહેલાની તુલનામાં વધુ છે, પરંતુ ઓક્ટોબરથી આ નીચે આવી રહ્યા છે. આયાત શુલ્કમાં અછત અને સંગ્રહખોરી પર રોક લગાવવા જેવા અન્ય પગલાઓથી તમામ ખાદ્ય તેલોની ઘરેલુ કિંમતોને ઓછી કરવામાં મદદ મળી છે અને ગ્રાહકને રાહત મળી છે.