એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એક પછી એક દરોડા પાડી રહી છે. હવે તપાસની ટીમ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના મુંબઈના ભાંડુપમાં આવેલા ઘરે પહોચી છે.
મની લોન્ડ્રીંગ કેસમાં ઈડીની રડાર પર સંજય રાઉત
સંજય રાઉતના નિવાસસ્થાને પહોંચી ટીમ
આજે ધરપકડમાં લેવાય શકે છે શિવસેના સાંસદ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એક પછી એક દરોડા પાડી રહી છે. હવે તપાસની ટીમ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના મુંબઈના ભાંડુપમાં આવેલા ઘરે પહોચી છે. તેમને પૂછપરછ માટે ઈડીની ઓફિસે લઈ જઈ શકે છે. રાઉત 1034 કરોડ રૂપિયાના પાત્રા ચાલ કૌભાંડ અંતર્ગત તપાસના દાયરામાં છે.
Mumbai | Enforcement Directorate officials at Shiv Sena leader Sanjay Raut's residence, in connection with Patra Chawl land scam case pic.twitter.com/gFYdvR89zU
તેમને 1 જૂલાઈએ થયેલી પૂછપરછ બાદ 20 અને 27 જૂલાઈના રોજ હાજર કર્યા હતા, પણ તેમના વકીલ દ્વારા સૂચના મોકલી હતી કે, સંસદ સત્રના કારણે તેઓ 7 ઓગસ્ટ બાદ હાજર થઈ શકશે. ઈડી આ મામલે દાદર અને અલીબાગમાં રાઉતની સંપત્તિને ટાંચમાં લઈ ચુકી છે.
આ અગાઉ ઈડીનું સમન જાહેર થતાં રાઉતે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો પ્રચાર અભિયાનનો હવાલો આપતા હાજર થવા માટે વધુ સમય માગ્યો હતો. સંજય રાઉત આ મામલે મુખ્ય આરોપી છે.
27 જૂલાઈએ પણ હાજર નહોતા થયાં રાઉત
આ અગાઉ 27 જૂલાઈના રોજ ઈડીએ આ મામલે રાઉતને સમન મોકલીને પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. પણ રાઉત હાજર થયા નહોતા અને તેમને હાજર થવામાંથી છૂટ માગી હતી. પણ ત્યારે ઈડીએ તેનો સ્વિકાર કર્યો નહોતો.