રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર સંકટના વાદળો હટવાનું નામ જ નથી લઈ રહ્યા. પહેલા રાજકીય ધમાસાણ અને હવે પરિવાર પર આવેલું સંકટ. ગહેલોતના પરિવાર પર હવે EDએ સકંજો કસ્યો છે. સીએમના ભાઈને EDએ સમન્સ મોકલી આજે પૂછપરછ માટે બોલાવ્યા છે.
રાજસ્થાનના CM અશોક ગેહલોતના પરિવાર પર EDનો સકંજો
આજે અશોક ગેહલોતના ભાઈની ED કરશે પૂછપરછ
અગાઉ અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતને ત્યાં કર્યા હતા દરોડા
આજે મુખ્યમંત્રી ગેહલોતના ભાઈની ED પૂછપરછ કરશે. મંગળવારે મોડી રાત્રે EDએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું.આ અગાઉ પણ મુખ્યમંત્રીના ભાઈ અગ્રસેન ગેહલોતને ત્યાં EDના દરોડા પડ્યા હતા. અગ્રસેન ગેહલોતની દુકાન અને ફાર્મ હાઉસ પર પણ તપાસ કરી હતી. જયપુર અને કોટામાં EDએ દરોડા પાડતા વિવાદ પણ થયો હતો. કોંગ્રેસે આ દરોડાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતુ.
ગત થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઇ અગ્રસેન ગેહલોતનું નામ ખાતર કૌભાંડમાં સામે આવ્યું હતું. આરોપ છે કે અગ્રસેન ગેહલોતે 2007થી 2009વી વચ્ચે ખેડૂતોના ખાતરના રૂપિયા ખાનગી કંપનીઓને આપી દીધા. આ દરમિયાન કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી અને રાજ્યમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા.
ખાતર કૌભાંડ મામલાને લઇને ED એ લઇને રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીના કેટલાક સ્થાનો પર દરોડા પાડ્યાં હતા.
શું છે પુરો મામલો
ખરેખરે મ્યૂરિએટ ઓફ પોટાશ (MOP) નિકાસ માટે પ્રતિબંધિત છે. MOPને ભારતીય પોટાશ લિમિટેડ (IPL) દ્વારા આયાત કરવામાં આવે છે અને ખેડૂતોને ડિસ્કાઉન્ટ રેટ પર વિતરણ કરવામાં આવે છે.
આરોપ છે કે 2007-2009ની વચ્ચે અગ્રસેન ગેહલોત (જે IPLના અધિકૃત ડીલર હતા) એ ડિસ્કાઉન્ટ કિંમતો પર MoP ખરીદ્યુ અને ખેડૂતોને વિતરણ કરવાના બદલે તેઓએ કેટલીક ખાનગી કંપનીઓને વેચી દીધું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે 2012-13માં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો.