શાહરૂખખાન અને પત્ની ગૌરીખાન પર EDની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. KKR સહિત ત્રણ કંપનીઓ પર EDની કાર્યવાહી ચાલુ છે. તપાસમાં કુલ 70 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
શાહરુખ, ગૌરી વિરુદ્ધ કાર્યવાહી
KKR સહિત 3 કંપની પર દરોડા
70 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત
EDએ મની લોન્ડ્રિંગ મામલે રોજવેલી હોટલ ,મલ્ટીપલ રિસોર્ટ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કોલકત્તા નાઇટ રાઇડર્સ સહિતની કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. શાહરૂખ આઈપીએલ ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સના સહ માલિક અને નિર્દેશક છે. તેમાં ત્રણ કંપનીઓના બેંક ખાતામાં 16.20 કરોડ રૂપિયા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના રામનગર અને મહિશદળમાં 24 એકર જમીન, મુંબઈના દિલકપ ચેમ્બરમાં એક ફ્લેટ, કોલકત્તાના જ્યોતિ બસુ નગરમાં એક એકર જમીન અને રોજવેલી સમૂહની એક હોટલ પણ સામેલ છે.
આટલો મોટો છે ગોટાળો
EDનું માનવું છે કે રોજવેલી ગોટાળો શારદા પોંજી સ્કીમ ગોટાળાથી વધારે મોટો છે. રોજવેલી ચિટફંડ ગોટાળામાં રોજવેલી ગ્રૂપે લોકોના બે અલગ અલગ સ્કીમની લાલચ આપી અને લોકોના રૂપિયા ખાઈ ગયા. કંપનીના લોકોની પાસે પણ 17520 કરોડ રૂપિયા લેવામાં આવ્યા જેમાંથી 10850 કરોડ રૂપિયા લોકોને પાછા આપવામાં આવ્યા અને બાકીના 6670 કરોડ હજુ પણ બાકી છે.
નિર્દેશકોમાં આ વ્યક્તિઓ છે સામેલ
નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના આધારે કોલકત્તા નાઈટ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની ક્રિકેટ ટીમ છે અને તેના નિર્દેશકોમાં અભિનેતા શાહરૂખખાન, ગૌરી ખાનની સાથે જૂહી ચાવલાના પતિ જય મહેતા પણ સામેલ છે. ઈડીએ 2014માં પીએમએલએના આધારે નાઈટ રાઈડર્સ સ્પોટ્સ પ્રાઈવેટ લિમિટેડ, તેના અધ્યક્ષ ગૌતમ કૂંડું અને અન્યની વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. કૂંડુની કોલકત્તામાં એજન્સીએ 2015માં ધરપકડ કરી હતી.
વર્ષ 2015માં આઈપીએલમાં કહેવાતા વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમના ઉલ્લંઘનના સંબંધમાં શાહરૂખ ખાનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શંકાના આધારે અભિનેતાને લગભગ નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના શેરને ઓછી કિંમતે વેચ્યા હતા.