2004માં શરૂ થયેલી યસ બેંક સંકટના સમયમાંથી પસાર થઇ રહી છે. ક્યારેક સતત આસામાનની નવી છલાંગ ભરી રહેલી યસ બેંકના શેર એકદમથી નીચે ધડામ થઇ ગયા, જેને લઇને રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ યસ બેંકના ખાતામાંથી 50 હજાર સુધીની રકમ ઉપાડી શકવાનું નક્કી કર્યું. બેંકનું નિદેશક મંડળ ભંગ કરીને સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (SBI) ના પૂર્વ CFO પ્રશાંત કુમારને બેંકને સંકટમાંથી બહાર નિકાળવાનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.
રાણા કપૂરની મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે વધારો
સરકારે આપ્યો ભરોસો, ગ્રાહકોમાં બેચેની
આરબીઆઇ બેંકની રીસ્ટ્રકચરિંગ પર કામ કરી રહ્યાં છે. ત્યારે હવે પ્રવર્તન નિદેશાલય (ED) એ બેંકના સંસ્થાપક અને આ સંકટની સામે આવતા પહેલા બોર્ડ દ્વારા બહાર કરવામાં આવેલા બેંકના પૂર્વ CEO રાણા કપૂરની વિરુદ્ધ મની લૉન્ડ્રિંગનો મામલો દાખલ કર્યો છે. ED એ રાણા કપૂરના ઘર સહિત અનેક ઠેકાણાં પર શુક્રવારે દરોડા પાડ્યાં. તપાસ એજન્સીએ રાણા કપૂર વિરુદ્ધ લૂક આઉટ નોટિસ જારી કરી છે.
યસ બેંક દ્વારા નવેમ્બર 2019માં શેર બજારને આ અંગેની જાણકારી આપી હતી કે રાણા કપૂર બેંકના બોર્ડમાંથી બહાર નીકળી ચૂક્યાં છે, પરંતુ આ સંકટ રાતોરાત ઉભું થયું નથી. રાણા કપૂર ભલે હાલમાં એમ કહી રહ્યાં હોય કે શું થઇ રહ્યું તેનો આઇડિયા નથી. પરંતુ તેમના નિવાસસ્થાન પર કરવામાં આવેલા દરોડામાં ઘણા પૂરાવા ED ને મળ્યાં હોવા અંગેની જાણકારી મળી છે.
બેડ લોને ડૂબાડી યસ બેંક?
ક્યારે ઝડપથી ગ્રોથ કરનારી બેંકમાં યસ બેંકનો સમાવેશ થતો હતો. પરંતુ કેમ અચાનક બેંક પર સંકટના વાદળો ઘેરાયાં અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું તેને લઇને જનતા વચ્ચે ચર્ચાએ જોર પકડયું છે.
જો કે લોકોની ચર્ચાએ એ વાતની અટકળ પર જોર લગાવ્યું છે કે આ દૂર્દશા પાછળ સૌથી મોટું કારણ હોય તો તે બેડ લોન છે. બેંક દ્વારા L&T, જેટ એરવેઝ, Cox&Kings, સીજી પાવર, દીવાન હાઉસિંગ અને કૈફે કોફી ડે જેવી ઘણી એવી કંપનીઓને લોન આપવામાં આવી છે જેનો નાણાંકીય વ્યવહાર ચોખ્ખો નહોતો. આ બધી કંપનીઓનો NPA રેકોર્ડ લેવલ સુધી પહોંચી ગયો છે.