એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુંબઇ એરપોર્ટ કૌભાંડમાં જીવીકે ગ્રુપ અને મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઈએલ) પર હૈદરાબાદ અને મુંબઇમાં દરોડા પાડ્યા છે. નોંધનીય છે કે,7 જુલાઈએ ઇડીએ સીબીઆઈની એફઆઈઆર પર મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
મુંબઇ એરપોર્ટ કૌભાંડમાં જીવીકે ગ્રુપ પર EDના દરોડા
કૌભાંડ 800 કરોડથી વધુનું હોઈ શકવાનો ઇડીએ કર્યો દાવો
ઇડીએ ભારતની એરપોર્ટ ઓથોરિટી ઓફ મુંબઇ અને મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) ના અધિકારી જીવીકે ગ્રુપના ડિરેક્ટર જીવી સંજય રેડ્ડી સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. આ પહેલા 27 જૂને સીબીઆઈએ આ તમામ આરોપીઓ વિરુદ્ધ 800 કરોડનો છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો અને દરોડા પાડ્યા હતા.
કૌભાંડ 800 કરોડથી વધુનું હોઈ શકે છે : ED
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે તપાસ કરી રહ્યું છે કે 800 કરોડનું આ કૌભાંડ કેવી રીતે કરાયું અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યા બાદ પૈસા ક્યાં ડાયવર્ટ કરવામાં આવ્યા. સીબીઆઈની તપાસમાં અત્યાર સુધીમાં ખુલાસો થયો છે કે આ કૌભાંડ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને જીવી સંજય રેડ્ડીના જોડાણથી કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ કૌભાંડ 800 કરોડથી વધુનું હોઈ શકે છે પરંતુ તે તપાસ બાદ જ બહાર આવશે.
અગાઉ સીબીઆઈએ કેસ નોંધીને દરોડા પાડ્યા હતા
અગાઉ સીબીઆઈએ કેસ નોંધીને દરોડા પાડ્યા હતા. તેવું બહાર આવ્યું હતું કે 2006 માં એરપોર્ટના ખાનગીકરણ હેઠળ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જીવીકે ગ્રુપ વચ્ચે મુંબઇ એરપોર્ટના આધુનિકીકરણ અને સુધારણા માટે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ, 50.5 ટકા હિસ્સો જીવીકે પાસે હતો અને 26 ટકા હિસ્સો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે હતો, બાકીનો હિસ્સો અન્ય કંપનીઓ પાસે હતો. નિયમ મુજબ મહેસૂલનો હિસ્સો પહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પછી જીવીકે ગ્રુપમાં જવાનો હતો.